Gujarat

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને સેનામાં આહીર રેજીમેંટની માંગ

આહીર એક્તા મંચ ગુજરાત ના સ્થાપક તેમજ અખિલ ભારતીય યાદવ મહાસભા (યુવા) – ગુજરાત ના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા કે જેઓ ઘણાં વર્ષો થી રાષ્ટ્રહિત ના કાર્યો કરે છે જેમાં બ્લડ હેલ્પ ,વ્યસન મુક્તિ, પ્રયાવરણ ના ગ્રાઉન્ડ લેવલ ના કામો કર્યા છે ત્યારે તેઓ ઘણાં વર્ષો થી પોતાના સમાજ ના વીર જવાનો કે જેને દેશ માટે પોતાના પ્રાણો ના બલિદાન આપ્યા છે એના સન્માન માટે આપણાં દેશ ની સ્થળ સેનામાં બીજી જાતિ આધારીત રેજીમેંટો છે એમ આહીર રેજીમેંટ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

છેલ્લા ઘણાં સમય થી ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો અપાવવા માટે ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન ચલાવી રહ્યા છે.. આજ રોજ થી ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો મળે અને દેશ ની સ્થળ સેનામાં આહીર રેજીમેંટ ના નિર્માણ ની માંગ સાથે દિલ્લી જંતર મંતર ખાતે ધરણા શરૂ કરવામાં આવ્યા છે.જેમાં આજે પ્રથમ દિવસે રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ક્ચ્છ જિલ્લા ના પ્રમુખ મયુરભાઈ બારોટે સાથે બેસી ને જાહેર સમર્થન આપ્યું હતું અને લોકો ને આ રાષ્ટ્રહિત ની માંગો માં જોડાવા આહ્વાન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *