Gujarat

માંગરોળ જલારામ મંદિર ખાતે પુજય સંત શ્રી જલારામ બાપા ના ૨૨૩ મા જન્મોત્સવ ની ઉજવણી સાદાઇ થી ઉજવવા મા આવેલ

મોરબીમાં ઝૂલતા પુલ ઉપર જે અતી કરુણ ભલભલાના કાળજા કંપાવી નાખે તેવો ગોઝારો બનાવ બન્યો તેમા ૧૫૦ થી વધુ નિર્દોષ લોકો એ જાન ગુમાવ્યા તેના કારણે તેના માનમા માંગરોળ જલારામ મંદિર ખાતે ૨૨૩ મા જલારામ જન્મોત્સવ ની ઉજવણી ફક્ત મહા આરતી તેમજ મહા પ્રસાદી જેવા કાર્ય રાખી અને શોભાયાત્રા આતશબાજી, કેક કાપવી જેવા અનેક કાર્યક્રમો જલારામ ટ્રસ્ટના પ્રમુખ નિતીનભાઈ સિરોદરીયા તેમજ ટ્રસ્ટીઓ તરફથી રદ કરી બાપા ના જન્મોત્સવ ની સાદાઈ થી ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,, અને  જલારામ ભક્તો દ્વારા જલારામ બાપા ના ચરણોમાં પ્રાર્થના કરી મૃતકો ના આત્માને શાંતિ આપવા બે મિનિટ નુ મૌન પાડી હદય થી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,,, 🙏 જય જલારામ બાપા,,,
🙏 વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *