National

એરો ઇન્ડિયા ૨૦૨૫ ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના ૧૫મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

આજે સંરક્ષણ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના વિકાસ એન્જિનને શક્તિ આપી રહ્યું છેઃ રક્ષા મંત્રી એરો ઇન્ડિયા ૨૦૨૫ આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશેઃ શ્રી રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની ૧૫મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા ૨૦૨૫ […]

National

મહા કુંભ ૨૦૨૫ઃ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરવા માટે વિશેષ યોજના

નાફેડથી અત્યાર સુધીમાં ૧૦૦૦ મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. ૨૦ મોબાઇલ વાન તૈનાત, વોટ્‌સએપ અને કોલ દ્વારા ઉપલબ્ધ રેશન કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી રહી છે. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ઘઉંના લોટ, કઠોળ, ચોખા અને […]

National

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની આ મુલાકાત માત્ર […]

Gujarat

લકુલીશ યોગ યુનિવર્સિટીમાં “હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ” વિષય પર સંશોધન પૂર્ણ કર્યું

લકુલીશ યોગ યુનિવર્સિટીએ જાણીતા લેખિકા અને પત્રકાર અનિતા તન્નાને પીએચડીની ડિગ્રી એનાયત કરી છે. તેમણે ડૉ. અરુણા જાડેજાના માર્ગદર્શન હેઠળ “હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ: રામની વિવિધ કૃતિ(કથા)ઓને આધારે; હનુમાનજીના જીવનચરિત્રમાંથી પ્રતિફલિત જીવનમૂલ્યોની ઉપાદેયતા” વિષય પર સંશોધન કર્યું છે. અનિતા તન્નાની વિદ્વતા અને સાહિત્યિક યોગદાન નોંધપાત્ર છે. તેમના 22 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં ‘રજકણ […]

Gujarat

શોભાયાત્રા સહિત 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરાયું

અમદાવાદના જગતપુર વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર અને ગાયત્રી પરિવાર પ્રજ્ઞા મંડળ રાણીપના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત 8 ફેબ્રુઆરીએ ભવ્ય શોભાયાત્રાથી થઈ હતી. ત્યાર બાદ 9 અને 10 ફેબ્રુઆરીએ હરિદ્વારથી પધારેલા વિદ્વાન પંડિતોના માર્ગદર્શનમાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]

Gujarat

પાણી-ગટર સહિતની માળખાકીય સુવિધા માટે સરકાર પાસે 371 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત કરાશે

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાયી સમિતીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 371 કરોડની ગ્રાન્ટ માટે ગુજરાત શહેરી વિકાસ કમિશનને દરખાસ્ત મોકલવાની મંજૂરી આપી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં નભોઈ, રાંધેજા, કોલવડા, પેથાપુર, ઝુંડાલ, કોબા, રાયસણ, રાંદેસણ, કુડાસણ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ […]

Gujarat

લાઇસન્સ વગરની દેશી બંદૂક સાથે નિર્મળનગરના યુવકની ધરપકડ

ભાવનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિર્મળનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક યુવક પાસેથી દેશી બનાવટની જોટાળી બંદૂક મળી આવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, નિર્મળનગરના કેસરબાગ શેરી નંબર 3માં રહેતા 25 વર્ષીય દિગ્વિજયસિંહ સુજિતસિંહ ગોહિલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ […]

Gujarat

કમિશનરે કરદરમાં સૂચવેલો 150 કરોડનો વધારો ફગાવાયો, 20 નવી યોજનાઓનો ઉમેરો; ત્રણ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ. 3118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ […]

Gujarat

માયાભાઈ આહીરની તબિયતમાં સુધારો; ડાયરા દરમિયાન અચાનક બીમાર પડતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા

માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમાચાર છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે, તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું. કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોક ડાયરા યોજાયો હતો. જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત […]

Gujarat

AMC કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ લીધો, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હવે પાંજરા ઉપર કાંટાળી વાડ કરાશે

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ આજે 10 ફેબ્રુઆરીના રોજ સોમવારે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ તેમને મળવા માટે પહોંચ્યા હતા. જોકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પાંચ મિનિટ જ મુલાકાત કરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સાથે […]