Gujarat

મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ મંદિર અને સચિવાલયનો નવો રૂટ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે

ગાંધીનગર અક્ષરધામ મંદિર અને સચિવાલય જતા નાગરિકો માટે અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી નવી AMTS એક્સપ્રેસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સોમવારે મળેલી કમિટીમાં શહેરના લાલ દરવાજાથી એરપોર્ટ સુધીના રૂટ નંબર 102 પર ઓછા પેસેન્જર મળતા હોવાથી હવે મણિનગર ટર્મિનસથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી આવતીકાલે 11 ફેબ્રુઆરીથી નવી બે બસ શરૂ કરવામાં […]

Gujarat

કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

વર્ષ ૨૦૨૪માં ગંભીર અકસ્માતનું ૧૦ % પ્રમાણ ઘટ્યું, જીવલેણ અકસ્માતમાં ઘટાડાથી ૩૮ માનવ ઝીંદગી સુરક્ષિત કરાઈ વાહન અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક નિયંત્રણ અર્થે સર્વિસ રોડ પહોળા અને દબાણ રહિત કરવા કલેકટરશ્રીની તાકીદ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ […]

Gujarat

કલેકટર કચેરી ખાતે પી.જી.વી.સી.એલ.ની સમીક્ષા બેઠક યોજાઈ

પી.એમ.સૂર્યઘર મુફ્ત વીજળી, સોલાર વિલેજ, સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન સહિતની કામગીરી અંગે સમીક્ષા કરાઈ રાજકોટ કલેકટર કચેરી ખાતે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ (પી.જી.વી.સી.એલ.)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેરશ્રી એમ.બી.સુથારે પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટના વિવિધ વિસ્તારોમાં સોલાર રૂફ અડોપશનની કામગીરી, મીડિયમ વોલ્ટેજ, કવર્ડ કંડકટર, ટ્રાન્સફોર્મર, સ્માર્ટ મીટર સહિત મેઈન્ટેનન્સની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા […]

Gujarat

ઓલપાડ તાલુકાની શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને બહોળો પ્રતિસાદ 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ‘પરીક્ષા પે ચર્ચા’નાં ૮માં વિઝન અંતર્ગત ગુજરાતભરની શાળાઓને સમાંતર ઓલપાડ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યક્રમમાં સહભાગી થઈ હતી. તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અભિનવ પહેલને તાલુકામાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. તાલુકાની સરકારી […]

Gujarat

માર્કેટયાર્ડ સાવરકુંડલામાં નવા જીરૂની આવક

હરરાજીમાં મુહુર્તમાં રૂા ૪૮૫૧/- પ્રતિમણના ભાવ બોલાયા.. આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા જીરૂની આવક ઘજડી ગામના ખેડુત માઘવજીભાઇ શામજીભાઇ કોઠીયાએ મારૂતિ ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા જીરૂની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીના માર્ગદર્શનથી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી […]

Gujarat

છેલ્લા ૧૪ વર્ષથી સાવરકુંડલાના બંને સ્મશાનના અસ્થિ વિનામૂલ્યે હરિદ્વાર જઈને અસ્થિ વિસર્જન કરતું સાઈ શક્તિ યુવા ગ્રુપ સાવરકુંડલા 

સમૂહ અસ્થિ વિસર્જન વિધિ (સાવરકુંડલા) મનુષ્યનાં અસ્થિ જેટલા દિવસ સુધી ગંગાજીનાં જલમાં રહે, તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગમાં નિવાસ કરે છે,આ ભાવનાથી શ્રી સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટ  સાવરકુંડલા દ્વારા હરિદ્વાર મુકામે શ્રીગંગાજીમાં આપનાં સદ્દગત સ્વજનોનાં અસ્થિ વિસર્જન છેલ્લા ૧૪ વર્ષથી દર ૬ મહિને વિના મુલ્યે કરવામાં આવે છે. આ સેવા દીપકભાઈ ગોહિલ, હિતેષભાઇ ત્રિવેદી, […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે  શ્રી કુંડલા તાલુકો ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ દાધિયા મુકામે આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના સંયોજક હરેશભાઈ પંડ્યા તેમજ ગોવાભાઇ ગાગીયા અને આચાર્ય નાનજીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વપ્રથમ આવેલા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસએસ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમ યોજાયો

આગામી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદની સાથે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા […]

Gujarat

છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન

છોટાઉદેપુર નગરપાલિકા ચૂટણી-૨૦૨૫ સરકારી પોલીટેકનીક છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાતે જિલ્લા ચૂંટણી અધિકારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન દિનને ધ્યાનમાં રાખીની પૂરજોષમાં કામગીરી […]

Gujarat

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપ ના કારણે થતા મોત ને અટકવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા પ્રધાન મંત્રીશ્રી ને રજુવાત કરવામાં આવી

ગૂગલ મેપ રોજ ને રોજ અનેક લોકો ના મોત નું કારણ બની રહી  છે અને અનેક લોકો ના મોત થઇ રહ્યા છે જેને ધ્યાનમાં લઈને  નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટ ના મેયર દ્વારા ભારત સરકાર ના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા ભારત પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને મેયર દ્વારા આવેદન પત્ર સંસ્થા ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા […]