હમાસ સાથે યુદ્ધવિરામ કરાર વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે! ૧૫ મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ […]
Author: JKJGS
દરજીપુરા-પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલ ટેકસ પાસેથી લોકો જોઈ શકશે
વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)નું હોક MK 132 વિમાનો સાથે વડોદરામાં આવતી કાલે હવાઈ એક્રોબેટ નિદર્શન યોજાશે. આ ટીમમાં નવ હોક વિમાનો અને 14 પાયલોટ છે જે પ્રદર્શન બતાવશે. દરજીપુરા-પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલ ટેકસ પાસેથી પણ લોકો આ શૉ જોઈ શકશે […]
વાંસદા-ગાંધીનગર મિની લક્ઝરી બસ કન્ટેનર સાથે અથડાતાં એક મુસાફરનું મોત, 4 ઘાયલ
કોસંબા ગામની સીમમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર વાંસદાથી ગાંધીનગર જતી મિની લક્ઝરી બસ (નંબર DD-01-V-9434) એક કન્ટેનર (નંબર NL-01-AH-2140) સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર મજીદભાઈ માલજીભાઈ દેસાઈ (ઉંમર 47, રહે. કેસબંધ ગામ, તા. સુબીર, જિ. ડાંગ)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર […]
21થી 23 જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય રામોત્સવ-2નું આયોજન, સ્વદેશી વ્યંજનો-પુસ્તક સ્ટોલ્સ પણ રહેશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં પહેલા રામોત્સવની સફળતા બાદ રામોત્સવ-2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાનાર આ ઉત્સવ 21થી 23 જાન્યુઆરી 2025 દરમિયાન સાંજે 6થી 10 વાગ્યા સુધી ઉજવાશે. આ ત્રણ દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટીના વિભાગો અને સંલગ્ન કોલેજો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા […]
ફી નહીં ભરવાને લઇને દીકરીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોઇલેટ પાસે ઊભી રાખી હતીઃ પરિજનો
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના […]
65 વર્ષીય દર્દીને ડાયાલિસિસ માટે તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરી
સુરતમાં એક માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે, જ્યાં કોળી સેના ગુજરાત સંગઠને એક વૃદ્ધ દર્દીને મદદરૂપ થઈને માનવતાની મિસાલ કાયમ કરી છે. સુરતની એક ખાનગી હોસ્પિટલમાં 65 વર્ષના એક વૃદ્ધ દર્દીને ડાયાલિસિસની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી, જેના માટે બ્લડની આવશ્યકતા હતી. દર્દીના પરિવારજનોએ બ્લડની વ્યવસ્થા માટે અનેક લોકોનો સંપર્ક કર્યો, પરંતુ સફળતા ન મળતાં […]
વિરમગામની સરકારી હોસ્પિટલને ખાનગી કંપનીએ 12 લાખના મશીન ભેટ આપ્યા
વિરમગામ તાલુકાના જૂનાપાધર સ્થિત રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગાંધી હોસ્પિટલ, વિરમગામને લગભગ રૂ.12 લાખ જેટલી માતબર રકમના અત્યાધુનિક સ્વસંચાલિત ઉપકરણો આપવામાં આવ્યા. રોકેટ કંપની દ્વારા 5 વિવિધ રિપોર્ટ માટે અત્યંત આધુનિક મશીન આપવામાં આવ્યા છે જેમાં એલઇડી માઈક્રોસ્કોપ છે, ટીબી અને મેલેરિયાના રિપોર્ટ માઈક્રોસ્કોપમાં કરી શકાશે. યુરોમીટર જેમાં યુરિનના તમામ રિપોર્ટ યુરિન એનેલાઇઝરમાં […]
24 જાન્યુઆરીએ ગુજરાત યુનિ.ના સમારોહમાં વૈકૈયા નાયડુ અને 28મીએ GTUમાં ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહેશે
ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત ટેકનોકજીકલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાશે. 24 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે,જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ હાજર રહેશે. જ્યારે 28 જાન્યુઆરીએ GTU નો પદવીદાન સમારોહ યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહેશે. આગામી 24 જાન્યુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે.આ પદવીદાન સમારોહમાં 46,131 વિદ્યાર્થીઓને પદવી એનાયત […]
શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિષ્ઠિત પારિજાત એવોર્ડ માટે પસંદગી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રી ભેંસદડિયા યોગેશકુમાર હેમંતલાલ ને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત પારિજાત એવોર્ડ આપીને આદર્શ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવશે. પારિજાત પરિવાર સાહિત્ય ગ્રુપ – અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને શિક્ષણ સાથે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ કાર્યો કરતા શિક્ષકોને સન્માનિત કરવા આ એવોર્ડ […]
સાવરકુંડલાના ઝીંઝુડા ગેઈટ વિસ્તારમાં આવેલા નવા પાણીની ટાંકીના પાણીનો નિકાલ ધોળા દિવસે કરવામાં આવતાં લોકોમાં કચવાટ ફેલાયો
આ સંદર્ભ આજરોજ ટાંકી બનાવનાર કોન્ટ્રેક્ટર સાથે ટેલીફોનીક વાતચીત થતાં તેણે હાલ આ પાણી પુરવઠો બંધ કરીને રાત્રે પાણીનો નિકાલ કરવા સહમતી દર્શાવી હતી આજરોજ સાવરકુંડલાના ઝીંઝુડા ગેઈટ વિસ્તારમાં આવેલા નવા બનેલા પાણીના ટાંકામાંથી અવિરત ધોધમાર પાણી પુરવઠો જાહેર રસ્તા પર વહેતો જોવા મળેલ. એક તરફ પાણી બચાવનું અભિયાન લોકોને પાણીનું મહત્વ સમજાવવામાં આવતું હોય […]










