જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે ધનલાભ કરાવી શકે છે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની […]
Author: JKJGS
ગત મોડી રાત્રે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો; જાનમાલના નુકસાનની કોઈપણ જાણકારી સામે નથી આવી
વિશ્વભરમાં અનેક દેશોમાં ભૂકંપના આંચકાઓ ક્યારેક ક્યારેક આવતો હોય છે. જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધારે હોય ત્યારે અનેકવાર મોટું નુકસાન પણ સર્જાતું હોય છે. જેમાં જાન અને માલનું નુકસાન પણ ભોગવું પડતું હોય છે. ભારતમાં પણ અનેકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાઓ લઈને મોટું જાન અને માલનું નુકસાન વર્ષો પહેલા સર્જાયું […]
ભાવનગરમા ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું
ઉમરાળા તાલુકાના દડવા ગામના મુંબઈ સ્થિત હીરા ઉદ્યોગકાર વિશાલભાઈ માંગુકિયાએ ચીંધ્યો નવો રાહ : સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણ પ્રવૃત્તિ પુરજોશમાં. સૌરાષ્ટ્ર – ગુજરાતને હિમાચલ પ્રદેશ જેવું હરિયાળું બનાવવા પ્રકૃતિપ્રેમીઓએ કમર કસી છે. સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની ઝુંબેશને સાર્થક કરવા ભાવનગર જિલ્લના ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી – કરાવી પોતાના વતનને લીલુંછમ […]
નડિયાદ અને પોરબંદર-છાયા નગરપાલિકાને અપાશે મનપાનો દરજ્જો, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું […]
સુરેન્દ્રનગરના 286 દિવ્યાંગ રમતવીરો ક્રિકેટ, ચેસ સહિત રમતોમાં કૌવત બતાવ્યું
સુરેન્દ્રનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 186 દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ક્રિકેટ, ચેસ, લાંબીકૂદ, ગોળાફેંક, બરછીફેક સહિત અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું. એમ.પી.શાહ કોલેજના મેદાનમાં યોજાએલ દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં 100 મીટર દોડમાં 69, લોંગજમ્પમાં 54, ગોળફેંકમાં 75, ચક્ર્ફેકમાં 90 […]
પાટડી તાલુકાના માનાવાડા ગામમાં બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો
પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીના વરદ હસ્તે રૂપિયા 10 લાખના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોદન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરોની સાથે સાથે […]
મહિલાઓ દ્વારા ઓવારણાં લેવામાં આવ્યાં, અંબાણી પરિવારે ગામલોકો સાથે કરી આનંદના ઉત્સવની ઉજવણી
1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ અનંત અંબાણી પણ સહભાગી થયા […]
લોકસભા ચૂંટણી અન્વયે અમદાવાદ કલેકટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત કરાઈ
આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો-એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જે-તે વિભાગના સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મતગણતરીમાં વ્યવસ્થાઓ બાબતે વિમર્શ કરાયો મતગણતરીની કામગીરી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે […]
GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે, છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર […]
ધોલેરા-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બન્ને ટ્રકની કેબિન પડીકું વળી ગઈ
અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આથી અંદર રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. […]










