યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માંગે છે, તેમણે ઉમેર્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિએ ફેબ્રુઆરી ૨૦૨૨ માં શરૂ થયેલા સંઘર્ષની આસપાસ કેન્દ્રિત અમેરિકન અધિકારીઓ સાથે ‘ખૂબ જ સારી‘ વાતચીત કરી હતી. “પુતિનની ગઈકાલે જેરેડ કુશનર અને સ્ટીવ વ્હિટકોફ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ હતી. તે મુલાકાતમાંથી […]
Author: JKJGS
ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝાના અરજદારો માટે વધુ સારી ચકાસણીનો આદેશ આપ્યો
ટ્રમ્પ વહીવટીતંત્રે ઉચ્ચ કુશળ કામદારો માટે H-1B વિઝા માટે અરજદારોની ચકાસણી વધારવાની જાહેરાત કરી છે, જેમાં આંતરિક રાજ્ય વિભાગના મેમોમાં કહેવામાં આવ્યું છે કે વાણી સ્વાતંત્ર્યના “સેન્સરશિપ”માં સામેલ કોઈપણ વ્યક્તિને અસ્વીકાર માટે ધ્યાનમાં લેવામાં આવશે. H-1B વિઝા, જે યુ.એસ. નોકરીદાતાઓને વિશેષ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે, તે યુ.એસ. ટેક કંપનીઓ માટે […]
CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ ૨૭ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ રેલવેને સ્પર્શતા રૂ.૪૧૯૦ કરોડના છ રેલવે પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સામખીયાળી-ગાંધીધામ રેલવેના ચાર માર્ગીયકરણ, રાજકોટ-કાનાલુસ ૧૨૨ કિ.મી લાઈનનું ડબલિંગ, નલિયા અને વયોર વચ્ચે નવી બ્રોડગેજ લાઈન, મોટી આદરજ વિજાપુર ગેજ કન્વર્ઝન, વિજાપુર- આંબલીયાસણ ગેજ કન્વર્ઝન અને નલિયા – જખૌ નવી લાઈનના પ્રોજેક્ટ એમ સમગ્રતયા રાજ્યમાં હાથ ધરાઈ […]
રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
ગુજરાતમાં અવારનવાર મારામારી ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચારી મચી હતી. રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાના ગંભીર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગને હથિયારો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ભીંડી જિલ્લાના ઇસુરી ગામેથી આ આરોપી, રાજેશસિંહ રાજાવત, પકડી પડાયો છે. તપાસમાં ખુલાસો થયો […]
ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, ૨ દિવસના બદલે ૯ કલાકમાં રિપોર્ટ મળશે
હવે મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નો ટેસ્ટ ફક્ત ૬થી ૯ કલાકમાં થશે અને એ પણ માત્ર ૧૫ રૂપિયાના ખર્ચે બનેલી કિટથી. પહેલાં આ ટેસ્ટમાં ૧ હજારથી માંડીને ૩ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો અને એનો રિપોર્ટ આવતાં ૩૬થી ૪૮ કલાક થતા હતા. ભાવનગરની CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ […]
‘લાલો’ ફિલ્મનાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કલાકારોને પોલીસનું તેડું
ગુજરાતી ફિલ્મ ‘લાલો‘ના કલાકારો ૨ ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જાેવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે પોલીસે ૩ ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસણીને બોલાવી પૂછપરછ કરી હતી. ત્યારે હવે ઘટનાની […]
જેલમાં બંધ કીર્તિ પટેલ સામે વધુ એક FIR
સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો ૧૦મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ […]
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ૦૫૮નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ છ્ઝ્રએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. ધમકીભર્યો મેલ […]
૯૦૦૦ આંગણવાડી અને તેડાગર બહેનોને નિમણૂકપત્રો એનાયત
રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં ૧૦ હજારથી વધુ આંગણવાડી અને નંદઘર બનાવવાનું આયોજન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે યોજાયો, જેમાં રાજ્યની ૯૦૦૦થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ચાર મોટા શહેરોમાં એકસાથે નિમણૂકપત્ર વિતરણ થયું, જેમાં અમદાવાદમાં ૩૪૫૮, રાજકોટમાં ૨૩૩૦, […]
2661 ભારતીય માછીમારોને 2014થી અત્યારસુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યારસુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી શ્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. મંત્રીએ […]










