Gujarat

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકનું વિમોચન

અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂજ્ય રામકૃષ્ણદાસ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક ગણિતના તજજ્ઞ ડો. પરિધિ ત્રિવેદી પરીખ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકથી વિધાર્થીઓને ગણિત વિષય સરળતાથી સમજી શકશે. પુસ્તકના વિમોચન પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે […]

Gujarat

એક મહીનામાં ‘મા વાત્સલ્ય બેંક‘માં ૨૯૪ થી વધુ દાતા માતાઓએ પોતાનું દુધ દાન આપ્યું

સિવિલ ખાતે કાર્યરત ‘મા વાત્સલ્ય મિલ્ક બેંક‘ને એક મહિનો પૂર્ણ ૩૦ દિવસમાં ૨૫૮ જેટલા નવજાત શિશુઓને જીવનદાયી પોષણ પૂરું પાડ્યું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જાેશીએ જણાવ્યું હતું કે, ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘મા વાત્સલ્ય’ હ્યુમન મીલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મીલ્ક બેંકે આજે […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા

સંતો પરમ હિતકારી હોય છે, તેમની નિશ્રાથી પરમ મોક્ષની પ્રાપ્તિ મળે છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જીએમડીસી  ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ‘ગુણાનુવાદ સભા‘માં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાધુ ભગવંતો તેમજ સાધ્વીજીઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે […]

Gujarat

કોબા ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી સન્માન સમારોહ યોજાયો

પત્રકારત્વના માધ્યમથી નૈતિક બાબતોને જાગૃત કરવામાં મારો પૂરો પ્રયાસ રહેશે -શ્રી રજત શર્મા ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ તરીકેની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા આજે “આચાર્ય તુલસી સન્માન સમારોહ” યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ તેરાપંથી જૈન સમાજના […]

Gujarat

નવરાત્રીમાં પણ મેઘ મહેર જારી, આવનારા ૪ દિવસ વરસાદ ની આગાહી

વરસાદે ખલૈયાઓની મજા બગાડી, ગરબાના આયોજકોની ચિંતામાં વધારો ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૧૧૧ ટકા વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે રવિવારે (૨૮ સપ્ટેમ્બર) સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૫૭ તાલુકામાં […]

Gujarat

અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું

રાજ્યમાં એક મોટી હવાઈ દુર્ઘટના ટળી અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના બની હતી. અમરેલી એરપોર્ટ પર રવિવારે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી, જ્યારે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, […]

National

‘સાચી હિંમત‘: પીએમ મોદીએ પોઈન્ટ નેમો પાર કરનાર બે મહિલા નૌકાદળ અધિકારીઓની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમ દરમિયાન બે મહિલા નૌકાદળ અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને રૂપા એ, ને બિરદાવ્યા. પૃથ્વીના સૌથી દૂરસ્થ સ્થાન, પોઇન્ટ નેમો સુધીની તેમની હિંમતભરી યાત્રા માટે મહિલા અધિકારીઓની પ્રશંસા કરવામાં આવી. અધિકારીઓએ નાવિકા સાગર પરિક્રમા II મિશનના ભાગ રૂપે, ભારે હવામાન અને પડકારોનો સામનો કરીને ભારતીય […]

National

મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓ માં ભારે વરસાદ; હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં રવિવારે (૨૮ સપ્ટેમ્બર) ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણીમાં થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરિનો સમાવેશ થાય છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ખૂબ જ તીવ્ર અને સતત વરસાદ પડવાની શક્યતા છે. સિંધુદુર્ગ જેવા જિલ્લાઓ અને નાસિકના ઘાટ પ્રદેશોમાં […]

National

કરુરમાં ભાગદોડ: વિજયની રેલી પર કોઈ પથ્થરમારો થયો નહીં, ટીવીકેએ નિયમોનું ઉલ્લંઘન કર્યું: તમિલનાડુના પોલીસ વડા

કરુરમાં વિજયની રેલીમાં નાસભાગ; ૪૦ લોકોના મોત અને ૭૦ થી વધુ લોકો ઘાયલ અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની કરુરમાં રેલી દરમિયાન કોઈ પથ્થરમારો થયો ન હતો, પરંતુ તેમણે નિર્દેશ કર્યો હતો કે તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના નેતૃત્વએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, એમ તમિલનાડુના એડીજીપી ડેવિડસન દેર્વશિવથમે રવિવારે જણાવ્યું હતું, જેમાં ભાગદોડમાં ૪૦ લોકોના મોત થયા […]

National

૧૭ વિદ્યાર્થિનીઓના છેડતીના આરોપી ચૈતન્યનંદ સરસ્વતીને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

નવી દિલ્હીની એક ખાનગી સંસ્થામાં ૧૭ વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવાના આરોપોનો સામનો કરી રહેલા ૬૨ વર્ષીય ચૈતન્યનંદ સરસ્વતીને રવિવારે દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ માટે પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. આરોપીને આગ્રાની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે દિવસો સુધી અધિકારીઓથી બચીને છુપાયેલો જાેવા મળ્યો હતો. દિલ્હી પોલીસની એક […]