અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માર્કેટીંગ લોન ડિપાર્ટમેન્ટમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા યુવકને વધુ રોકાણ કરવા અને દરરોજના ચારથી પાંચ ટકા નફાની લાલચ આ 5.97 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણ અને ડોલરમાં નફો પણ ઓનલાઈન બતાવીને તેનો વિશ્વાસ કેળવ્યો અને સાયબર ગઠિયાઓએ 5.97 […]
Author: JKJGS
સ્પષ્ટ હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનમાં અમે વસ્તુઓને તોડી પાડીશું: પોલેન્ડના પીએમ
નાટો સભ્ય પોલેન્ડ તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરતી અને ખતરો ઉભો કરતી વસ્તુઓને તોડી પાડવામાં અચકાશે નહીં, પરંતુ ઓછી સ્પષ્ટ પરિસ્થિતિઓમાં વધુ સાવધાનીભર્યું વલણ અપનાવશે, એમ વડા પ્રધાને સોમવારે જણાવ્યું હતું. એસ્ટોનિયાએ કહ્યું કે શુક્રવારે ત્રણ રશિયન ફાઇટર જેટ્સે તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું, જેનાથી નાટો નેતાઓમાં એવી લાગણી વધી છે કે મોસ્કો ગઠબંધનની […]
માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે, સેવા પખવાડિયું ૨૦૨૫ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા યોજાયો પ્રબુદ્ધ સંમેલન ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત તેઓના જીવન કવન ઉપર વ્યાખ્યાન સ્વરૂપે બૌદ્ધિક સંમેલન રાખવામાં આવેલ. આ તબ્બકે વક્તા તરીકે ખાસ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નરેન્દ્રભાઈ મોદી જી ના બાલ્યાવસ્થા થી લઇ વિશ્વનેતા સુધીની તેમના જીવન કવન ઉપર ઉદબોધન […]
ખરાબ રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટીએ કરંજ સુરતમાં “રોડ બનાવો-જીવ બચાવો” કાર્યક્રમ અંતર્ગત કર્યું વિરોધ પ્રદર્શન
ગુજરાતના ખરાબ રસ્તાઓના કારણે થઈ રહેલા અકસ્માતો અને જાનહાનિને પગલે કર્યું વિરોધ પ્રદર્શન : રાજુ ગોધાણી સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી AAP હેલ્મેટ નહીં, ખરાબ રસ્તાઓનો કારણે લોકોના મોત થાય છે : સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી મથુર બલદાણિયા જો સરકાર રોડ રસ્તા નહીં સુધારે તો આ લડત વધુ તીવ્ર થશે: AAP ગુજરાતના લોકો લાખો કરોડોનો ટેક્સ સરકારને આપે […]
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે
શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે […]
અતિ પવિત્ર નવરાત્રી દરમિયાન યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ચોટાલી મંદિર દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમને સોમવાર તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫નારોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં આરતી સવારે ૦૭:૩૦થી ૦૮:૦૦, […]
રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આર્ત્મનિભર, માસિક ૧,૭૫,૦૦૦ ની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલ
પશુપાલન ક્ષેત્રે નારીશક્તિ: ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં લાખો મહિલા પશુપાલકો આપી રહી છે અભૂતપૂર્વ યોગદાન નવરાત્રિનો તહેવાર મા શક્તિના નવ સ્વરૂપોની ઉજવણી કરે છે, જે મહિલાઓની શક્તિનું પ્રતીક છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં પણ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ […]
મુખ્યમંત્રી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે
નવરાત્રિ મહોત્સવ દરમ્યાન લોકોને મળશે કલ્યાણકારી યોજનાઓની જાણકારી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય દ્વારા આયોજિત “વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય […]
અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકાર થી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બન્યાં હતાં. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. -અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. સહિતની સહકારી સંસ્થાઓ આ અવસરે જાેડાઈ હતી. મુખ્યમંત્રી […]
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન ૭ વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
ટ્રાઇકોબેઝોઅરના આ અદભૂત કેસમાં સિવિલના ડૉક્ટરોએ બાળકને આપ્યું નવજીવન સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ ૭ વર્ષના બાળકની હોજરીમાંથી વાળનો વિશાળ ગૂચ્છો કાઢ્યો! અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ મધ્યપ્રદેશના રતલામના ૭ વર્ષના બાળક સુભમ નિમાણાના પેટ અને નાના આંતરડામાંથી વાળ, ઘાસ અને શૂ લેસના દોરાનો ગઠ્ઠો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક દૂર કર્યો છે. બાળકોમાં થતી આ અત્યંત દુર્લભ બિમારીનું પ્રમાણ માત્ર […]










