Gujarat

જામનગર ITRAના વિદ્યાર્થીઓ અને સ્ટાફે જાગૃતિ રેલીમાં ભાગ લીધો

આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના જામનગર સ્થિત ITRAએ ૧૦મા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કર્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આયુર્વેદના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. સંસ્થાના કાર્યકારી ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી. જે. પાટગિરીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં ITRAના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. […]

Gujarat

જામનગરમાં મહામતિ પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ

જામનગરના 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ત્રિદિવસીય મહામતિ પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે તારતમ સાગરની અખંડ પારાયણનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ સહિત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જામનગર અને અન્ય રાજ્યો ઉપરાંત વિદેશથી પણ ભાવિકો આ મહોત્સવમાં જોડાયા છે. મહામતિ […]

Gujarat

જામનગરને રૂ. 833 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે, ત્યારે તેમના હસ્તે જામનગર જિલ્લાને રૂ.833 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોની ભેંટ મળી છે. આ કામોમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાના કામનો, જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા 17 પ્લાન્ટ, ભૂજિયા કોઠાના રીસ્ટોરેશન (ફેઝ-1)નું, […]

Entertainment

શૂટિંગ સમયે ઘાયલ થતા જુનિયર એનટીઆરે બે અઠવાડિયાનો બ્રેક લીધો

જાહેરાતના શૂટિંગ દરમિયાન જુનિયર એનટીઆર ઘાયલ તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન ‘નાની ઈજા‘ થઈ છે. અભિનેતાની ટીમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, તેમણે કહ્યું કે તેઓ કામ શરૂ કરતા પહેલા સ્વસ્થ થવા માટે થોડો આરામ કરશે. શુક્રવારે અગાઉ અનેક અહેવાલોમાં અભિનેતાની ઈજાના પ્રકાર અંગે વિવિધ સંસ્કરણો જણાવવામાં આવ્યા બાદ આ નિવેદન આવ્યું […]

Entertainment

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં નિધન

લોકપ્રિય આસામી ગાયક ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માત બાદ ૫૨ વર્ષની વયે અવસાન થયું છે. ઝુબીન આસામી સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. અહેવાલો અનુસાર, ગર્ગને સિંગાપોર પોલીસે સમુદ્રમાંથી બહાર કાઢ્યો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ઝુબીનને ઇન્ટેન્સિવ કેર યુનિટ માં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેમનું નજીકથી નિરીક્ષણ કર્યું અને જરૂરી […]

National

નવરાત્રી સ્પેશિયલ: ભારતીય રેલવે દ્વારા પ્રયાગરાજથી પટના અને લખનૌ માટે બે ખાસ ટ્રેનો ચલાવશે

ભારતીય રેલ્વેએ તહેવારોની મોસમ દરમિયાન ભક્તોને વધુ સુવિધા પૂરી પાડવા માટે બે અનરિઝર્વ્ડ નવરાત્રી પૂજા સ્પેશિયલ ટ્રેનોનું સમયપત્રક જાહેર કર્યું છે. વિગતો મુજબ, આ ટ્રેનો ૨૨ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી દોડશે, જેનો ઉદ્દેશ્ય મા વિંધ્યવાસિનીના આશીર્વાદ મેળવવા જતા યાત્રાળુઓ માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. ભારતીય રેલ્વે મુજબ, પ્રથમ સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નંબર ૦૪૧૧૨/૦૪૧૧૧) […]

National

ભારત-યુએસ વેપાર કરારની વાટાઘાટો ‘સકારાત્મક‘ અને ‘ભવિષ્યલક્ષી‘: MEA

શુક્રવારે વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપાર કરાર પરની વાટાઘાટોના સકારાત્મક પરિણામો આવી રહ્યા છે અને બંને પક્ષો પરસ્પર ફાયદાકારક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રયાસોને મજબૂત બનાવવા સંમત થયા છે. MEA ની ટિપ્પણી ભારત અને યુએસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પર પ્રથમ રાઉન્ડની વાટાઘાટો યોજાયાના થોડા દિવસો પછી […]

National

NGO ના FCRA રિન્યુઅલના નિર્દેશન સામે કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ, ૨૦૧૦ હેઠળ એક સંસ્થાના રજીસ્ટ્રેશનના રિન્યૂઅલના નિર્દેશન માટેના આદેશને પડકારતી કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી. આ મામલો ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે રિન્યૂઅલ કરવામાં આવ્યું નથી કારણ કે હ્લઝ્રઇછ એક્ટની કલમ ૭નું ઉલ્લંઘન થયું હતું. […]

National

દુષ્કર્મ કેસ: દિલ્હી કોર્ટે સમીર મોદીને ૨ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

ભૂતપૂર્વ IPL વડા લલિત મોદીના ભાઈ ઉદ્યોગપતિ સમીર મોદીને બળાત્કારના કેસમાં બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની દ્વારા જારી કરાયેલા લુક આઉટ સર્ક્યુલર (LOC) અનુસાર મોદીને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં બળાત્કારના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પછી, પોલીસ અધિકારીઓએ જણાવ્યું […]

International

નેપાળના કાર્યકારી વડા પ્રધાને ‘નિષ્ફળતા‘ સુધારવાનું વચન આપ્યું જેના કારણે ઘાતક જેન ઝી વિરોધ પ્રદર્શન થયા

યુવાનોના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનો દ્વારા સરકારને ઉથલાવી દેવામાં આવી તે પછી શુક્રવારે નેપાળના વચગાળાના વડા પ્રધાને ભ્રષ્ટાચાર સામે લડવા, રોજગારીનું સર્જન કરવા અને જીવનધોરણ સુધારવાનું વચન આપ્યું હતું. સુશીલા કાર્કીએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન – જેમાં ઓછામાં ઓછા ૭૨ લોકો માર્યા ગયા હતા અને તેમના પુરોગામી કે.પી. શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી […]