Gujarat

૧લી જૂન – વિશ્વ દૂધ દિવસ વાર્ષિક ૧૮ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫ ટકા

ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકા, જ્યારે ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૯.૨૬ ટકાના દરે તેજ ગતિ વધ્યું વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં

સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. ૬૬૪ કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન, સુરેન્દ્રનગર ખાતે […]

Gujarat

ગુજરાતના નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ (Sabine’s Gull) પક્ષી જાેવા મળ્યું

આ પક્ષી છેલ્લે વર્ષ ૨૦૧૩માં કેરળમાં સબાઇન ગુલ પક્ષી જાેવા મળ્યું હતું અમદાવાદ નજીક આવેલુ નળસરોવર પક્ષીપ્રેમીઓ માટે પક્ષીતીર્થ તરીકે જાણીતુ છે. એટલું જ નહીં, ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે એક રોમાંચક અને આનંદ દાયક ઘટના બની છે. ૩૦મે ૨૦૨૫ના રોજ […]

Gujarat

ઓપરેશન શીલ્ડ‘ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે તા. ૩૧મી મેના રોજ ‘ઓપરેશન શીલ્ડ‘ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન શીલ્ડ‘ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન વિવિધ છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવ્યો […]

Gujarat

અમદાવાદમાં BRTS બસમાં ધડાકા બાદ અચાનક આગ લગતા આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી

અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક શુક્રવારે (૩૦ મે), મ્ઇ્જી બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના આસ્ટોડીયા ચાર રસ્તા પાસે મુસાફરો ભરેલીમાં બસમાં અચાનક આગ ભભૂકતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બસની બેટરી ધડાકાભેર ફાટવાને કારણે બસમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય […]

National

અમદાવાદ ફેશન વીક ૨૦૨૫માં NIFT ગાંધીનગરની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી

NIFT ગાંધીનગરના નિર્દેશક પ્રો. ડૉ. સમીર સૂદના નિર્દેશન હેઠળ, સંસ્થાએ અમદાવાદની હોટલ હયાત રિજન્સી ખાતે ૩૧ મે ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવેલા અમદાવાદ ૨૦૨૫ના ફેશન વીકમાં નોંધપાત્ર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ડિઝાઇનર્સના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ અને વૈચારિક ઊંડાઈ દર્શાવવામાં આવી હતી, જેમણે એવા સંગ્રહો રજૂ કર્યા હતા જે દૃષ્ટિની રીતે પ્રભાવશાળી અને બૌદ્ધિક રીતે મનમોહક […]

National

પ્રધાનમંત્રીશ્રી મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું

લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે ‘મા ભારતી‘ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા […]

National

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અનેક શહેરોમાં પૂરની સ્થિતિ

અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૪ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. જેને લઇને સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ઘર, બજાર અને રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા જાેવા મળી રહી છે. તો ભૂસ્ખલનની ઘટના બની રહી છે. […]

National

ચારધામ યાત્રામાં ૧૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા અને કેદારનાથમાં ૩૦ દિવસમાં ૬.૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા

ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ભક્તિનું એક અદ્ભુત પ્રદર્શન કરી ચૂક્યા છે. ભારત અને વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે આદરણીય ચારધામ અને હેમકુંડ સાહિબમાં ઉમટી પડ્યા હતા. કેદારનાથ ધામમાં રેકોર્ડ સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ આ વર્ષની યાત્રાના સૌથી મહત્વપૂર્ણ આકર્ષણોમાંનું એક કેદારનાથ ધામમાં અસાધારણ […]

National

ભારતના ‘ટાઈગર મેન‘, પીઢ સંરક્ષણવાદી વાલ્મિક થાપરનું ૭૩ વર્ષની વયે અવસાન

ભારતીય વન્યજીવન સંરક્ષણ અને સાહિત્યમાં એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ ધરાવતા પ્રખ્યાત સંરક્ષણવાદી વાલ્મિક થાપરનું શનિવારે સવારે ૭૩ વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું. થાપર છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. ભારતમાં વાઘ સંરક્ષણ માટે સૌથી સમર્પિત અવાજાેમાંના એક તરીકે વ્યાપકપણે ગણવામાં આવતા, તેમના નિધનથી વન્યજીવન હિમાયતમાં એક યુગનો અંત આવ્યો છે. ૧૯૫૨ માં નવી […]