National

રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ હવે નીતીશ કુમાર ૩૦ માર્ચે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઓ

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ૩૦ માર્ચે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. ૧૬ માર્ચે રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. બંધારણ મુજબ, કોઈ પણ વ્યક્તિ એક સાથે બે ગૃહોનું સભ્યપદ રાખી શકતો નથી, જેના કારણે તેના માટે ૧૪ દિવસની અંદર એક […]

National

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારત સરકારે કર્યું એક મોટું એલાન

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગભરાટમાં ખરીદીના અહેવાલો વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી અગાઉ ૧૩ રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ૩ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અગાઉ ૧૦ રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ૦ રૂપિયા […]

National

અયોધ્યામાં રામ મંદિરમાં ભવ્ય સૂર્ય તિલક સાથે રામ નવમી ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી

શુક્રવારે ઉત્તર પ્રદેશ ખાતે અયોધ્યામાં રામ નવમીનો પવિત્ર તહેવાર ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિરમાં ભવ્ય સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ વર્ષે અયોધ્યામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, જે રામ જન્મભૂમિ મંદિરમાં ખૂબ જ અપેક્ષિત સૂર્ય તિલક સમારોહ દ્વારા ચિહ્નિત થયેલ છે. ઉજવણીના મુખ્ય આકર્ષણોમાંનું એક સૂર્ય તિલક વિધિ છે, જે […]

National

‘ભારતમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે ખોટી‘: કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

ભારતમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે, એમ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે “સ્પષ્ટપણે જણાવ્યું હતું” કે સરકાર આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. ચાલુ વૈશ્વિક કટોકટી વચ્ચે, સરકારે લોકોને શાંત રહેવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે આવા સમયે અફવાઓ ફેલાવવી એ “બેજવાબદાર અને હાનિકારક” છે. લોકડાઉનની વ્યાપક […]

National

મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ કોઈ પ્રકારની શાંતિ સફળતાના સંકેત વિના યથાવત

ઇઝરાયલે ઇરાનમાં અનેક સ્થળોએ મુખ્ય માળખાગત સુવિધાઓ પર હુમલા કર્યા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં કોઈ સફળતાના સંકેત મળ્યા વિના પણ ઈરાન, ઈઝરાયલ અને લેબનોનમાં નવા હુમલાઓ નોંધાયા હતા. ઈઝરાયલે ઈરાનમાં અનેક સ્થળોએ મુખ્ય માળખાગત સુવિધાઓ પર હુમલા કર્યા હતા, જ્યારે તેહરાને ઈઝરાયલ તેમજ યુએઈ તરફ મિસાઈલો છોડી હતી. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને […]

National

આજે પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ એશિયાના સંઘર્ષ અંગે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે, રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરશે

ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવાર) ના દિવસે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને દેશની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે, કારણ કે સંઘર્ષ તેના ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. આ બેઠક ‘ટીમ ઇન્ડિયા‘ ની ભાવનામાં પ્રયાસોની તાલમેલ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જાેકે, જે […]

National

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી થોડા દિવસ નિરીક્ષણ હેઠળ રહેશે, તબિયત સ્થિર

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આગામી બે દિવસ સુધી સર ગંગા રામ હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રહેશે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને મંગળવારે મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. ડોકટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહી છે, અને અહેવાલો મુજબ, ચિંતાનું […]

National

એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ટેકનિકલ ખામી બાદ દિલ્હી પરત ફરી; એક મહિનામાં આવી બીજી ઘટના

ગુરુવારે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને મુસાફરી દરમિયાન શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા જણાતાં દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. વિમાન ઘણા કલાકો સુધી હવામાં હતું તે પહેલાં પાઇલોટ્સે સલામતીના પગલાં તરીકે પાછા ફરવાનો ર્નિણય લીધો હતો. ફ્લાઇટ, AI111, એરબસ A350-900 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને ચલાવવામાં આવી રહી હતી. PTI દ્વારા ટાંકવામાં આવેલા એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, […]

National

મહાદેવ સટ્ટાબાજી એપ કેસ: ઈડ્ઢએ દુબઈ, દિલ્હીમાં સ્થાવર મિલકતો જપ્ત કરી

આ બહુચર્ચિત કેસના તપાસ મામલે સીનીયર અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ મહાદેવ ઓનલાઈન બુક સટ્ટાબાજી કેસના સંદર્ભમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ દુબઈમાં ૧૮ અને નવી દિલ્હીમાં બે સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી છે, જેની કિંમત લગભગ ?૧,૭૦૦ કરોડ છે. ટાંચમાં લેવાનો આદેશ ૨૪ માર્ચે જારી કરવામાં આવ્યો હતો. વધુમાં અધિકારીઓએ […]

National

‘હું ઉગાદી અને શિવરાત્રી પર માંસ ખાઉં છું, હું રાહુ કાળમાં માનતો નથી‘: સિદ્ધારમૈયા

ટોપી- કર્ણાટક વિધાનસભામાં બજેટ સમએ મુખ્યમંત્રી નું મોટું નિવેદન!! કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જ્યોતિષીય માન્યતાઓને ખુલ્લેઆમ ફગાવી દીધા બાદ એક નવી રાજકીય ચર્ચા જગાવી છે, તેમણે કહ્યું છે કે, “હું ઉગાદી અને શિવરાત્રી પર માંસ ખાઉં છું, હું રાહુકાળમાં માનતો નથી,” અને રાજ્ય બજેટ રજૂ કરવાના સમયનો બચાવ કર્યો છે. અહેવાલો અનુસાર, વિવાદ ત્યારે શરૂ થયો […]