ખાંડના ભાવમાં વધારા વચ્ચે, કેન્દ્ર સરકારે મંગળવારે આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને સ્થાનિક વેચાણ માટેનો સમયગાળો તેના પ્રવેશની તારીખથી બે મહિના સુધી લંબાવ્યો, જે ઉદ્યોગ દ્વારા શિપિંગ વિલંબ અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓના જવાબમાં હતો. સ્થાનિક પુરવઠો વધારવા અને ભાવોને કાબૂમાં રાખવા માટે ૧ મિલિયન ટન કાચી ખાંડની આયાત કરવાની મંજૂરી આપતી વખતે, સરકારે અગાઉ આયાતકારોને […]
National
મેઘાલય વિધાનસભાએ યુરેનિયમ ખાણકામ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો
મુખ્યમંત્રીએ કહ્યું કે મેઘાલયમાં જમીન એક વિશિષ્ટ બંધારણીય અને પરંપરાગત માળખા દ્વારા સંચાલિત થાય મેઘાલય વિધાનસભાએ બુધવારે યુરેનિયમ ખાણકામ અને રાજ્યમાં કોઈપણ પ્રક્રિયા સુવિધા સ્થાપવાનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો. મુખ્યમંત્રી કોનરાડ સંગમા દ્વારા રજૂ કરાયેલા આ ઠરાવ પર વિપક્ષે સરકારને ટેકો આપ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે મેઘાલયમાં જમીન એક વિશિષ્ટ બંધારણીય અને પરંપરાગત માળખા દ્વારા […]
નેપાળમાં આવેલ ભારે વરસાદ બાદ પૂરથી ૧૬ લોકોના મોત, યુપી અને બિહારમાં પણ એલર્ટ જાહેર
નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા અચાનક પૂર ના કારણે, યુપી અને બિહારના અધિકારીઓએ નીચે તરફ પાણીના ભારે પ્રવાહને કારણે ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ વધારી દીધી છે. બુધવારે નેપાળના રાસુવા જિલ્લામાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. […]
ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, પથ્થર પડતા ૭૨ થી વધુ રસ્તાઓ બંધ
બુધવારે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને પથ્થર પડવાથી ૭૨ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા કારણ કે રાજ્યના અનેક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો હતો, જ્યારે ભારતીય હવામાન વિભાગ એ આગામી થોડા દિવસોમાં વાવાઝોડા, વીજળી અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી હતી. પિથોરાગઢ, નૈનીતાલ અને ચમોલી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ હતા, જેમાં અનુક્રમે ૧૪, […]
યુપી સરકારે મોટો ર્નિણય લેતા ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે આજીવન મફત બસ મુસાફરીને મંજૂરી આપી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબીનેટ દ્વારા મંગળવારે ૨૪ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી, જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે એક મુખ્ય કલ્યાણકારી પગલાનો સમાવેશ થાય છે. નવી મંજૂર થયેલી લોકમાતા અહિલ્યાબાઈ માતૃશક્તિ યોજના હેઠળ, ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત તમામ બસોમાં આજીવન મફત […]
ઉત્તર પ્રદેશમાંથી ફરીવાર નકલી ડોકટરો ઝડપાયા!!
ઉત્તર પ્રદેશના અધિકારીઓએ ૪૧ કથિત રીતે નકલી આયુર્વેદિક ડોકટરોને શોધી કાઢ્યા છે જેઓ બનાવટી શૈક્ષણિક દસ્તાવેજાેના આધારે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વિગતો મુજબ, ડોકટરોએ કથિત રીતે આયુર્વેદિક અને યુનાની તિબ્બી મેડિસિન બોર્ડમાં નકલી બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી માર્કશીટ, ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ, ડિગ્રી અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નો ઉપયોગ કરીને નોંધણી મેળવી હતી. બોર્ડે લખનૌ […]
મહારાષ્ટ્ર FDA દ્વારા સ્વચ્છતાના કારણોસર મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પરિસરમાં આવેલા પાંચ ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (સ્ઝ્રછ) માં કાર્યરત પાંચ ખાદ્ય સંસ્થાઓ સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ તેમના ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યવાહીનો સામનો કરી રહેલા સંસ્થાઓમાં પરમિટ રૂમ, પેવેલિયન, મેડિટેરેનિયન, ઓરિએન્ટલ સ્વિંગ અને ક્લબ વે અને પેસ્ટ્રી કાઉન્ટરનો સમાવેશ […]
મણિપુરના કાંગપોકપીમાં સુરક્ષા દળો દ્વારા બંદૂકો, દારૂગોળો, બુલેટપ્રૂફ જેકેટ જપ્ત કરવામાં આવ્યા
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને સંદેશાવ્યવહાર સાધનોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. રાજ્યમાં ચાલી રહેલા શસ્ત્રવિહીનકરણ અભિયાનના ભાગ રૂપે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) યુનિટ્સ દ્વારા, કોબ્રા અને RAF કમાન્ડો અને મણિપુર પોલીસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં કાંગપોકપી જિલ્લાના જે […]
ઉત્તર પ્રદેશના વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરના દાનમાં મળેલ રકમ સીધી તેની તિજાેરીમાં જવી જાેઈએ: સુપ્રીમ કોર્ટ
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે યુપીના વૃંદાવનમાં આવેલા બાંકે બિહારી મંદિરમાં દાન કરાયેલા તમામ પૈસા, ભલે દાન પેટીઓ દ્વારા હોય કે ઓનલાઈન, સીધા મંદિરના તિજાેરીમાં જવા જાેઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સેવકો અથવા અન્ય કોઈ દ્વારા કોઈપણ અવરોધને ખૂબ જ ગંભીરતાથી જાેવામાં આવશે. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટે મેનેજમેન્ટ […]
એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટમાં થયેલ વિવાદ બાદ કેન્દ્ર સરકારે પાઇલટ્સ માટે વર્ષમાં એકવાર રેન્ડમ ડોપ ટેસ્ટની યોજના બનાવી
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે, સરકાર પાઇલટ્સ માટે ડ્રગ-પરીક્ષણના નિયમોને મોટા પાયે કડક બનાવવાનું વિચારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે દરેક પાઇલટને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત રેન્ડમ અને અણધાર્યા સમયે ડોપ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) હાલમાં ફ્લાઇટ ક્રૂના મનોવૈજ્ઞાનિક પદાર્થો માટે પરીક્ષણ […]










