Gujarat

ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજ થાભલે લટકાઇ આત્મહત્યા કરી

*ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજ થાભલે લટકાઇ આત્મહત્યા કરી.*

*તા.૮.૪.૨૦૨૦ ના રોજ ચોટીલાનાં રાજપરા ગામે સગ્ગા ભાભીની હત્યા નિપજાવી દિયરે આત્મહત્યા કર્યાનો બનાવ બનતા પંથકમાં ચકચાર ફેલાયેલ છે. ભાભી ને કોઇ જોડે સબંધ હોવાની શંકા થી બનાવ બન્યો હોવાની કેફીયત. પોલીસનાં જણાવ્યાનુસાર રાજપરા ગામે ખેતરમાં કપાસ વિણતી મહિલા ભારતીબેન કાળાભાઇ જાદવને તેના સગ્ગા દિયર મનસુખ નાથાભાઈ એ બોલચાલ કરી તેની પાસે રહેલ છરીનાં પાચ ઘા મારી ક્રુરતા પૂર્વક ઘટના સ્થળે જ હત્યા નિપજાવી. નજીકમાં આવેલ વિજ થાભલે ચડી જઇ પસાર થતી વિજ લાઇન ને પકડી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી છે. હત્યા અંગે નજરે જોનાર ફરીયાદી એવા ભોગ બનનાર નાં સાસુ અને આત્મહત્યા કરનાર આરોપીની માતા પાખીબેને પોલીસને જણાવેલ કે બાજુનાં ખેતરમાં તેઓ કામ કરતા હતા. અને તેમનો નાનો પુત્ર તેના ભાભી સાથે વાતચીત કરતો હતો. થોડા સમયમાં પુત્ર છરી વડે ભાભી ઉપર તુટી પડેલ અને પાચેક ઘા મારી દોડી જઇ થાંભલે ચડી જઇ જીવતા વિજતાર પકડી આત્મહત્યા કરી નીચે પટકાઇ પડેલ આ ઘટના પાછળ મનસુખ ને તેના ભાભીને કોઇ સાથે સબંધ હોવાની શંકાને કારણે બનેલ હોવાનું જણાવેલ છે. પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ બંન્ને લાશને કબ્જે લઇ પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હત્યા અને આત્મહત્યાનાં બનાવે પંથકમાં ચકચાર સાથે ચર્ચા નો વિષય બનેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200408-WA0491-1.jpg IMG-20200408-WA0488-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *