Gujarat

રેસકોર્સ સહિત શહેરના ૧૭૦ ગાર્ડન આજે મધરાતથી ૩૧ માર્ચ સુધી બંધ

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા રાજકોટ મહાપાલિકા દ્વારા આજે રાત્રે ૧૨ કલાકથી રેસકોર્સ સહિતના શહેરના તમામ ૧૭૦ ગાર્ડન તા.૩૧ માર્ચ સુધી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ મહાપાલિકાના અધિકારીઓએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી આજે રાત્રે ૧૨ કલાકથી તમામ બગીચાઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. મહાપાલિકા દ્વારા બગીચા ખાલી કરાવવા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.લોકોને બગીચામાં નહિ આવવા મહાપાલિકા તંત્રની અપીલ છે. અત્રે ઉલ્લેખનિય  છે કે રાજકોટમાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ મળ્યા બાદ આ જાહેરાત કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *