Uncategorized

ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના 25 થી 30 બાળકોને રામકડાનું વિતરણ કરતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો. …_

ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના 25 થી 30 બાળકોને રામકડાનું વિતરણ કરતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો. …_

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે,
તેમજ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં લોક ડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી મોટા ભાગના મજૂરો પરત જે ગામમાં કામ કરતાં હતાં, ત્યાં વાડી માલિક ને સોંપી, ગામડાઓમાં મોકલવામાં આવેલ છે. જ્યારે અમુક મજૂરો શહેર વિસ્તારમાં તથા સરકારી જમીનમાં ઝૂંપડાઓ બાંધી ને રહેતા હતા અને જે જે લોકો કામે રાખે ત્યાં છૂટક મજૂરી કરીને રહેતા હતા, તેવા મજૂરોને રાખવા માટે સરકાર દ્વારા જુદા જુદા શહેરમાં જુદી જુદી જગ્યાએ સેલ્ટર હોમ બનાવી મજૂરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
_
જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , 75 જેટલા મજૂરો ભવનાથ ખાતે ખોડીયાર રસ મંડળ ખાતેની જગ્યામાં રાખવામાં આવેલ છે. ત્યાં 75 મજૂરની જમવાની વ્યવસ્થા ભવનાથ ખાતે આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ દ્વારા કરવામાં આવેલ છે. આ ખાતે રાખવામાં આવેલ મજૂરોને મને ટાઈમ જમવાની વ્યવસ્થા આશ્રમ દ્વારા કરવામાં આવેલ હોય, તમામ મજૂરોને ભવનાથ ખાતે વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા અવારનવાર વિઝીટ કરી, વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવે છે. આ મજૂરો સાથે મજુરોના કુલ 25 થી 30 જેટલા નાના બાળકો પણ સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ છે…._

💫 _જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના 25 થી 30 બાળકોને ત્યાં રહેવામાં કંટાળો ના આવે તે માટે નાના બાળકોને રામકડાઓનું વિતરણ મહંત શ્રી શેરનાથબાપુના હાથે* કરવામાં આવેલ હતુ. *જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના 25 થી 30 બાળકોને રામકડાનું વિતરણ કરતા, બાળકો તરત જ રામકડાઓ થી રમવા લાગેલ હતા અને કપરા સમયમાં મદદ કરવા બદલ સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો…. …_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200409-WA0074-1.jpg IMG-20200409-WA0075-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *