યાત્રાધામ અંબાજી ખાતે દાતાશ્રી દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનવૅસન તાલીમ સંકુલમાં માં બાળકોને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું અને દાતાશ્રી દ્વારા શ્રી અંબાજી માતા દેવસ્થાન સંચાલિત અંબિકા ભોજનાલયમાં યાત્રાળુઓને ૧૦૦ નંગ ભોજન પાસનું પણ વિતરણ કરવામાં આવ્યું તથા અંબાજી નગરમાં ઝૂંપડાં બાંધી તથા ફુટપાટ માં રહેનાર ગરીબોને પણ ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત અંબાજી વહીવટ કરતા ને ૧૧૦૦૦.₹ રોકડ ભેટ એક બાળકનો ૧ વર્ષ દરમિયાન નો ખર્ચ પણ દાતાશ્રી દ્વારા ઉપાડવામાં આવ્યો હતો દાતાશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે ભવિષ્યમાં પણ શ્રી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ને યથાશક્તિ સહયોગ વિકલાંગ સ્કૂલ માં અવશ્ય કરશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


