Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના ૭૨ ખેડૂતોને ૩૧.૭૬ લાખની યોજનાકીય સહાય

કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભનુ વિતરણ કરાયું.
   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
               ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ૭૨ જેટલા ખેડૂતોને કૃષિ, પશુપાલન, બાગાયત અને ફિશરીઝ વિભાગની જુદી-જુદી યોજનાઓ હેઠળ ૩૧.૭૬ લાખની યોજનાકીય સહાયના ચેક-હુકમપત્રો આપવામાં આવ્યા હતા.
કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતેના સભાખંડમાં પ્રાકૃતિક ખેતીના લાભો સમજાવવા માટેનો તેમજ ખેડૂતો -દરિયાખેડૂતો માટે સહાય- લાભોનો વિતરણના આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે, જિલ્લા. ખેતીવાડી અધિકારી  એસ.બી. વાઘમશી સહિત કૃષિ, અને ફિશરીઝ વીભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ, બાગાયત વિભાગ, પશુપાલન, ફિશરીઝ, કૃષિ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વિવિધ સહાય તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ, ફળ શાકભાજીમાં છૂટક વિક્રેતાઓ માટે છત્રી, ફિશરીઝ શ્રમિકોને સાયકલ સહાય સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Attachments area

IMG-20211228-WA0705.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *