જેતપુરમાં યુવા ભાજપ દ્વારા વીર શહિદોને શ્રધ્ધાંજલી
દેશના સંરક્ષણ ખાતાના ત્રણે પાંખના વડા સી.ડી.એસ બિપીન રાવત સહિત 13 વિરજવાનો એ હેલીકોપ્ટર અકસ્માતમાં પોતાનો જીવગુમાવ્યો હોય આ વિરજવાનોને શ્રદ્ધાંજલી અર્પણકરવાનો કાર્યક્રમ ગઈકાલે સાંજે 7.30 કલાકે જેતપુરમા યુવા મોર્ચો દ્વારા એસ હાઈસ્કૂલ,સ્ટેન્ડ ચોક ખાતે રાખવામાં આવેલ હતો જમાં મનસુખભાઈ ખાચરીયા, જશુમતીબેન કોરાટ, દિનેશભાઈ ભુવા, સીટીપી.આઈ.પી.ડી.દરજી કિશોરભાઈ શાહ સહિતના સ્ટેશનની જુદી-જુદી સામાજીક સંસ્થા આ દેશપ્રેમી લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી પાઠવી હતી.કાર્યક્રમનું સંચાલનએ હરેશભાઈ ગઢીયાએ કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ રાહુલ આશનાણી, ભરતભાઈ ખાતા,ચીમન ખાચરીયા, મેહુલભાઈ વોરા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
Attachments area


