જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર લાખો ભક્તોની શ્રદ્ધાનું અને આસ્થા નું કેન્દ્ર છે યાત્રાધામ અંબાજી ખાતે જુદા જુદા દેવી-દેવતાઓના મંદિરો મોટી સંખ્યામાં આવેલા છે તેમજ માતાજીના કોટવાલ ગણાતા ભૈરવ ના મંદિરો પણ મોટી સંખ્યામાં આવેલા છે ગબ્બર કાળ ભૈરવ મંદિર , માનસરોવરમાં ભૈરવ મંદિર , અને અંબાજી મંદિર ખાતે બટુક ભૈરવ મંદિર અને હરનેશ્વર મહાદેવ મંદિર ખાતે કાલભૈરવ મંદિર આવેલું છે અને ભૈરવ જયંતિ નિમિત્તે તમામ ભૈરવ મંદિરોમા મોટી સંખ્યામાં મંદિરોમાં ભીડ જોવા મળી હતી
ભૈરવ જયંતિ નિમિત્તે અંબાજી ના તમામ ભૈરવ મંદિરોમાં વિશે પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમા ગબ્બર ખાતે આવેલા નિરંજની અખાડા નું પ્રાચીન અને પૌરાણિક ગબ્બર કાળભૈરવ મંદિર આવેલું છે ગબ્બર કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્રાહ્મણના હસ્તે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વીધી વિધાનથી હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ દાદા ને પ્રસાદનો વિશેષ ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો અને માનસરોવરમાં ભૈરવ મંદિર ને રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું તેમજ પંચમુખી ભૈરવ મંદિર અને અંબાજી મંદિર માં બટુક ભૈરવ મંદિર જેવા તમામ ભૈરવ મંદિરોમા વહેલી સવારથી જ ભૈરવ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મંદિરોમાં ભીડ જોવા મળી હતી અને ભૈરવ જયંતિ નિમિત્તે દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


