ઊના –ઊના દેલવાડામાં ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઇદે મિલાદનું તહેવાર ઉજવવામાં આવેલ હતો. જેમાં દેલવાડામાં સવારના 6 કલાકે પીર સૈયદ મોહસીન બાપુના હસ્તે બાલ મુબારક કાઢવામાં આવેલ. ત્યાર બાદ 9 કલાકે સરકારની ગાઈડલાઈન મુજબ ઝુલુસ કાઢવામાં આવેલ જેમાં મુસ્લિમ સમાજના ટ્રસ્ટી આગેવાનો પટેલો અને ગાઈડલાઈન મુજબ માણસો જોડાયા હતા. અને દેલવાડાના પૂર્વ સરપંચના પુત્ર રાહુલભાઈ બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જુમ્મા મસ્જિદ ચોકમાં શાહી જુમ્મા મસ્જિદના ઇમામ મહેમુદ મોલાના એ દેશમાં કોમી એકતા, ભાઈચારા સાથે કોરોના વાયરસના ખાત્માની દુઆ કરી હતી…


