Maharashtra

ટ્રાઈ ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ૧૩.૬ લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો નોંધાયો

મુંબઈ
હાલ માં આવેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (્‌ઇછૈં)ના ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ૧૩.૬ લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ખુબજ મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે ગુજરાતના કુલ મોબાઈલ ગ્રાહકો ઓગસ્ટમાં આશરે ૭ કરોડથી ઘટીને સપ્ટેમ્બરમાં ૬.૮ કરોડ થઈ ગયા છે, એમ અહેવાલ સૂચવે છે. બધીજ મોટી ટેલિકોમ કંપનીઓએ સપ્ટેમ્બરમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો હતો. ટેલિકોમ ઉદ્યોગના સૂત્રોએ કોરોનાની બીજા લહેરની આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડો કારણભૂત ગણાવ્યો છે, જેના કારણે મોબાઇલ કનેક્શન્સ રદ્દ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ ન થયા હતા. સતત બીલ ન ભરવાની અથવા કનેક્શન રિચાર્જ ન કરવાની અસર બે ત્રણ મહિના બાદ સપ્ટેમ્બરમાં જાેવા મળી હતી, જ્યારે કનેક્શન્સ નિષ્ક્રિય થઈ ગયા હતા.
રિલાયન્સ જિયો, જે હાલમાં રાજ્યમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, તેમણે વધુમાં વધુ ૧૦.૯૮ લાખ કનેક્શન ગુમાવ્યા, ત્યારબાદ ફૈએ લગભગ ૧.૪૮ લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા અને એરટેલે લગભગ ૧.૨૪ લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે.
રાજ્યની માલિકીની ટેલિકોમ ઓપરેટર મ્જીદ્ગન્, જે સતત સબ્સ્ક્રાઇબર્સ ગુમાવી રહી છે, તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં વિપરીત રીતે કેટલાક સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. સમગ્ર ભારતમાં પણ વલણ એ જ રહ્યું, જેમાં મોટાભાગના ટેલિકોમ ઓપરેટર્સે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો છે.
ટ્રાઈના ડેટા અનુસાર દેશભરના ગ્રામીણ મોબાઈલ ગ્રાહકોની સરખામણીમાં શહેરી ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. જાે કે, ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘટાડો થવા સાથે ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં ૯૯.૬૨ ટકા થી ઘટીને ૯૭.૬ ટકા થઈ ગઈ છે.

mobail.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *