Delhi

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક જાેડાણ જળવાઈ રહેશે ઃ મંત્રી પિયુષ ગોયલ

નવીદિલ્હી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાની ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારતમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતુ. પિયુષ ગોયલે સિડનીમાં કહ્યું, ‘હું ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીને ભારતમાં વિસ્તરણ કરવા અને બંને દેશોના વિદ્યાર્થીઓને લાભ મેળવવા માટે આમંત્રિત કરું છું.’ વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘હું માનું છું કે આ પ્રકારની ભાગીદારી વિશ્વ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક જાેડાણ જળવાઈ રહેશે.’ મંત્રીએ કહ્યું, શિક્ષણ બંને દેશો વચ્ચે સેતુનું કામ કરશે, તે હંમેશા અમારી ભાગીદારીનું મહત્વનું તત્વ રહ્યું છે. આવી સ્થિતિમાં, બંને દેશો વચ્ચેની ભાગીદારી ઓસ્ટ્રેલિયા અને ભારત માટે ફાયદાકાર રહેશે. ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી ડેન તેહાને કહ્યું કે, તે અત્યંત મહત્વપૂર્ણ છે કે આપણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષિત કરીએ અને તેનો ઉપયોગ કરીએ. બંને દેશો વચ્ચે શૈક્ષણિક સંબંધો વિકસાવવા માટેના આધાર તરીકે પણ કામ કરો. હું ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓને પણ ભારતમાં ભણવા આવવા માટે આમંત્રણ આપુ છું. પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સાથેના વેપાર કરાર હેઠળ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ વધુને વધુ ભારતીયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા અને બંને દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર વધારવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે બંને પક્ષો તેના પર કામ કરી રહ્યા છે. વધુમાં મંત્રીએ કહ્યું કે શૈક્ષણિક લાયકાતોને પરસ્પર માન્યતા આપવામાં આવશે અને તે જ સમયે અમે ભારતમાં ૈંૈં્‌ અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી અથવા ભારત અને ઑસ્ટ્રેલિયાની મેડિકલ કૉલેજ દ્વારા સંયુક્ત રીતે ડિગ્રી એનાયત થવાની સંભાવના પણ જાેઈ રહ્યા છીએ.

Centra-lminister-Piyush-Goyal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *