નવીદિલ્હી
દિલ્હીની તિહાર જેલમાં બંધ એક કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ રચેલી કમિટીને આપેલા પોતાના નિવેદનમાં તેમણે મંત્રી સત્યેન્દ્ર જૈનને પૈસા આપવાના આરોપને પુનરોચ્ચાર કર્યો હતો. આ રિપોર્ટમાં સુકેશે સમિતિને જણાવ્યું કે, તેણે ૬૦ કરોડ ક્યારે અને ક્યાં આપ્યા હતા. વાસ્તવમાં કમિટીએ ૧૪ નવેમ્બર અને ૧૫ નવેમ્બરે મંડોલી જેલમાં સુકેશનું નિવેદન નોંધ્યું હતું. તેમણે સમિતિને જણાવ્યું કે, તેમણે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ફાર્મ હાઉસ પર મંત્રી સત્યેન્દ્ર જૈનને ચાર હપ્તામાં ૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રશેખર દ્વારા જૈન સહિતના છછઁ નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ (ગૃહ)ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.સુકેશે જણાવ્યું હતું કે, ૨૦૧૭માં સુકેશ ચંદ્રશેખરે ૫૦ કરોડ રૂપિયા આપ્યા બાદ હોટેલ હયાત રિજન્સી ભીકાજી કામા પ્લેસ ખાતે ડિનર પાર્ટી, જેમાં સીએમ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોતે હાજરી આપી હતી. તેણે કહ્યું કે, સત્યેન્દ્ર જૈને ઘણી વખત ફોન પર વાત કરી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમિતિના સભ્યો ૧૪-૧૫ નવેમ્બરે મંડોલી જેલમાં ચંદ્રશેખરને મળ્યા હતા અને તેમનું નિવેદન નોંધ્યું હતું. સમિતિ દ્વારા સુપરત કરાયેલા અહેવાલ મુજબ, ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈનને ૬૦ કરોડ રૂપિયા આપવાના આરોપને પુનરોચ્ચાર કર્યો છે – આમ આદમી પાર્ટી વતી રાજ્યસભાની બેઠક મેળવવા માટે ૫૦ કરોડ રૂપિયા અને જેલમાં સુરક્ષા માટે ૧૦ કરોડ રૂપિયા આપ્યાના આરોપને દોહરાવવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ચંદ્રશેખરે તત્કાલિન મહાનિર્દેશક (જેલ) સંદીપ ગોયલને ૧૨.૫૦ કરોડ રૂપિયા આપ્યા હોવાનો પણ દાવો કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે સમિતિને એમ પણ જણાવ્યું હતું કે કુલ રકમ અને તેના વ્યવહારોના સ્થળ અને સમય અંગે જૈન સાથે તેમના વોટ્સએપ મેસેજ સુરક્ષિત છે. તે તપાસ એજન્સીઓની માંગ પર પુરાવા તરીકે તેને ઉપલબ્ધ કરાવશે. સૂત્રોએ જણાવ્યું કે ચંદ્રશેખરે એવો પણ દાવો કર્યો છે કે તેણે જૈનના ફોન દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી હતી અને પૈસાની લેવડદેવડની પુષ્ટિ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેણે દાવો કર્યો છે કે ૨૦૧૭માં આરકે પુરમની એક હોટલમાં તેમના દ્વારા આયોજિત પાર્ટીમાં કેજરીવાલ, જૈન અને કૈલાશ ગેહલોત પણ હાજર હતા.


