Delhi

નેતા સુભાષચંદ્ર બોઝને વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું ૨૩ જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પે છે. સ્વતંત્ર ભારતના વિચાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે નેતાજીએ લીધેલા સાહસિક પગલાં તેમને દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ૈંર્ઙ્ઘઙ્મ બનાવે છે. તેમણે કહ્યું કે નેતાજીના આદર્શો અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરણા આપતા રહેશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત મમતા બેનર્જીએ પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. બંગાળમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક ચિહ્ન તરીકે નેતાજીનો ઉદય ભારતીય ઈતિહાસમાં અજાેડ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓ દેશભક્તિ, સાહસ, નેતૃત્વ, એકતા અને ભાઈચારાનું પ્રતિક છે. બંગાળ સરકાર સમગ્ર રાજ્યમાં પ્રોટોકોલ મુજબ નેતાજીની ૧૨૫મી જન્મજયંતિને દેશ નાયક દિવસ તરીકે ઉજવી રહી છે.આખો દેશ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ તેમને ફૂલ અર્પણ કર્યા હતા. સરકારે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે આજથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો ર્નિણય લીધો છે, જેને આ વર્ષથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાને ટ્‌વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, ‘પરાક્રમ દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની ૧૨૫મી જન્મજયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ છે.”

125th-birth-anniversary-of-Subhash-Chandra-Bose-in-Surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *