ઓલપાડ તાલુકાનાં રાજનગર કેન્દ્રનાં ખૂબજ સરળ, સૌમ્ય તથા મળતાવડા સ્વભાવનાં મૃદુભાષી એવાં નિવૃત્ત સી.આર.સી. કો-ઓર્ડિનેટર અર્જુનસિંહ ભારતસિંહ મહીડા (મુ. તરસાડા બાર તા.માંડવી) નું દુઃખદ અવસાન થયેલ છે.
બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા બી.આર.સી. પરિવાર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા કારોબારી સભ્યોએ શોક વ્યક્ત કરી સદગતની ચીર શાંતિ અર્થે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.


