કઠલાલ-હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડીંગ અને કંપની કમાન્ડર પરબતસિંહ. એસ.પરમારને ‘ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી એવોર્ડ ‘થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઍવોર્ડ ડૉ. નીરઝા ગૂટરુ ( IPS ) CG અમદાવાદના હસ્તે એનાયત થયો હતો કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્ય અનિલ.એસ.કામ્બલે તથા સમગ્ર સ્ટાફ સદસ્યોએ તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુષ્પગુચ્છ, સાલ અને પારંપારિક પાગડી પહેરાવી સન્માનિત કર્યા હતા. પ્રાચાર્ય અનિલ.એસ.કામ્બલે એ એમની ગૌરવપ્રદ સફળતા માટે અત્યંત હર્ષભેર બિરદાવ્યા હતા.અને તેમની નિરંતર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટર.મકસુદ કારીગર


