જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, કાલાવડ ખાતે શ્રી સમસ્ત મેઘવાળ સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી મેઘઘારું ચેરીટેબલ ટ્રસ્ટ કાલાવડ, ધ્રોલ, જોડિયા તથા જામનગર દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
