માંગરોળમાં ધનેશા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
માંગરોળમાં માં રહેતા.અમૃતલાલ મોહનલાલ ધનેશા(ઉ.વર્ષ.72), તે મયંકભાઈ ના પિતાશ્રી નું તા.૨૦-૦૫-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ .
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળની સેવાકીય પ્રવૃતિ સાથે જાયન્ટસ ગૃપ ના સેકેટરી પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર કરી મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં હતા
ધનેશા પરિવારના ચક્ષુદાનના આ વિચારને જાયન્ટસ ગૃપ માંગરોલ તથા શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે


