*અંબાજી વણઝારા સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં રક્ત દાન આપ્યું*
ધર્મનગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગ વિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ વણઝારા સમાજ દિવસ નિમિત્તે અંબાજી વણઝારા સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વણઝારા સમાજના યુવાનોએ ભાગ લીધો હતો તથા અન્ય સમાજના યુવાનોએ પણ ભાગ લીધો હતો અને રક્તદાન કરી વિશ્વ વણઝારા દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમા વણઝારા સમાજના યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દરેકે પોતાના જીવનમાં બ્લડ નું દાન કરવું જોઈએ તેઓ સંદેશ વિશ્વ વણઝારા દિવસ નિમિત્તે અંબાજી વણઝારા સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


