*અંબાજીની ધર્મપ્રેમી જનતાએ ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી સ્વંયસેવકો નું સ્વાગત કર્યું*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે સંઘ ના વિજયાદશમી ઉત્સવ ને લયી યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય પથસંચલન કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં યુવાનો સ્વયંસેવકો જોડાયા હતા ગુજરાતી સ્કૂલ માં સ્વયંસેવકો દ્વારા ધ્વજ પ્રણામ અને પ્રાર્થના કરી પથ સંચાલન શરૂ થયું હતું ત્યારબાદ અંબાજી નગર બ્રહ્માંડ કરી પરત ગુજરાતી સ્કૂલ ખાતે સેમસેવકો પોચી આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઠેર ઠેર અંબાજીની ધર્મપ્રેમી જનતાએ પુષ્પ વરસાદ દ્વારા સ્વયંસેવકોનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું અને અંબાજી નગરની જનતા ભારત માતાની જય વંદે માતરમ નારા સાથે દેશ પ્રેમનો મહોલ જોવા મળ્યો હતો અને સ્વંયસેવકો,કાયૅકર્તાઓ એ સંચલન માં ઉત્સાહ પૂર્વક ભાગ લીઈ સહભાગી બન્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

