અમદાવાદ
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેનારા બી.એલ સંતોષ હેગડેવાર ભવનમાં આરએસએસનાં અગ્રણીઓ સાથે અને કમલમ ખાતે બીજેપી સંગઠન પદાધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં પહેલા દિવસે તેઓ ઝાંઝરકામાં વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરશે. આ બાદ બીજા દિવસે તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૧૦મી મેના રોજ રાહુલ ગુજરાત આવશે અને દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનને સંબોધશે. અગાઉ ૧લી મેના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેમનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે ૧૦મી મેના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ વડોદરા આવીને ત્યાંથી સીધા દાહોદ જશે. હાલમાં કોંગ્રેસના નેતાના આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે જ યોજાવા જઈ રહી છે. એવામાં ચૂંટણીમાં જીતવા માટે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી રહી છે. પોતાના પક્ષના પ્રચાર માટે કેન્દ્રિય નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.


