રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટેની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાની સાથે સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૧૧-૧૨ અને ઉચ્ચ અભ્યાસ કરતા ૩૪,૦૧૧ વિદ્યાર્થીઓને ૮.૦૫ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકાર સતત શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભાર આપી રહી છે. આ માટે અનેક પ્રોત્સાહક અને સર્જનાત્મક યોજનાઓ-પ્રકલ્પો અમલમાં મૂક્યા છે.
