Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ખોડિયાર ચોક પાસે આવેલાં ગરનાળાંની અજબ કહાની એક પરિવારની આંખોમાં છે ચોધાર આંસુનાં પાણી. આ  પરિવાર આ ગરનાળાને કારણે પોતાના ઘરનું પ્રવેશદ્વાર પણ બંધ કરવા મજબૂર બન્યો. આ પરિવાર હાલ મજબૂરીવશ એક દુકાનમાંથી આવજાવ કરતો જોવા મળે છે. આ સંદર્ભે તંત્ર સતર્ક થઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ ખોડિયાર ચોક પાસે આવેલ ગરનાળા પાસેથી પસાર થતાં મકાનની ખરેખર દયનીય હાલત છે. આ પરિવાર છેલ્લા બે વર્ષથી અહીં ગરનાળા સમયે કરેલ ખોદકામને કારણે પોતાના ઘરનું પ્રવેશદ્વાર આજે ફરજિયાત બંધ કરવું પડ્યું છે. હાલ આ પરિવારે પોતાની દુકાનમાંથી આવવા જવાનું રાખેલ છે. આ પરિવારે આ અગાઉ પણ ઘણાં સમય પહેલાં અહીં તત્કાલીન નગરપાલિકા ચીફ ઓફિસરને આ અંગે વિગતવાર લેખિત રજૂઆત પણ કરી હતી ત્યારબાદ પણ પરિસ્થિત હજુ પણ જૈસે થે જેવી જ છે. આ સંદર્ભે જો આ પરિવારને કોઈ માંદગી કે કોઈ પ્રસંગ આવે તો શું કરવું એ ચિંતા પણ સતત સતાવતી જોવા મળે છે. આ સંદર્ભે તંત્ર યોગ્ય કાર્યવાહી કરી આ પ્રશ્ર્ન હલ કરે તો આ પરિવાર રાહતનો શ્ર્વાસ લઈ શકે. આ ઉપરાંત આ ગરનાળાંમાં પણ અવારનવાર કચરો અને ગંદકી થતી હોય તંત્ર નિયમિત સફાઈ અને સ્વચ્છતા કરાવવા માટે કોઈ ઠોસ પોલિસી ઘડી કાઢે એ પણ લોકોનાં આરોગ્ય માટે જરૂરી છે. આમ પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આપણાં માનનીય વડાપ્રધાને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવેલું છે. શક્ય હોય તો સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારની જાતમુલાકાત લઈને પરિસ્થિતિનું આકલન કરે અને યોગ્ય કાર્યવાહી કરે તો આ પરિવારની મુશ્કેલીનું કાયમી નિવારણ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *