ગિરગઢડા
ભરત ગંગાદેવ
પ્રાચી તીર્થ…સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે શ્રી બાપાસીતારામ લાહ વાડી વિસ્તાર ના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં કલાકારોમાં લોકગાયક નરસિંગભાઈ કામળિયા તથા લોકગાયક ભાવનાબેન બાંભણિયા તથા લોકગાયક ધનાભાઈ કામળિયા તથા તેમનું ગ્રુપ લાઈવ સ્ટેજ નો ભવ્ય ડાયરો યોજાયો હતો
ધામરળેજ લાહ વાડી વિસ્તારમાં આવેલ શ્રી બાપા સીતારામ મંદિર નું કામ ચાલુ હોવાથી તેમના લાભાર્થે આ લોક ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ડાયરા ની મોજ માણી હતી અને નામાંકિત કલાકારો માથે રૂપિયાનો વરસાદ વરસ્યો હતો જે કે રૂપિયા થયા છે તે બાપા સીતારામ મંદિર ના કામ માટે વાપરવામાં આવશે આ ડાયરામાં ગામના સરપંચ શ્રી ઓઘડભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાનો, તેમજ બાપાસીતારામ લાહ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી ને સફળ બનાવ્યો હતો..


