Gujarat

અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા હથિયારો સાથે ઈસ્મ ઝડપાયો

ભરૂચ
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે તહેવારોને લઇ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન સ્ટેશન રોડ ઉપરથી રીક્ષા નંબર-જી.જે.૧૬.એ.ટી.૦૦૫૧ આવતા પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષામાં તપાસ કરતા શીટ નીચેથી એક છરો અને સિગારેટ લાઇટર ગન મળી આવી હતી. આ અંગે ભરૂચના દાંડિયા બજાર લોઢવાણના ટેકરા ખાતે રહેતો રીક્ષા ચાલાક અજય ઉર્ફે કાલુ શંકર મકવાણા, લાલા શંકર મકવાણા, શિવમ પ્રવીણ મકવાણા, માનવ રાકેશ ચૌહાણ અને રાહુલ ધૂળા પંચાલની પુછપરછ કરતા પાંચેય ઈસમોએ હથિયારો અંગે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ રસ્તા સર્કલ પાસેથી રિક્ષામાં હથિયારો લઇ ફરતા ભરૂચના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચેકિંગ દરમિયાન શહેર પોલીસને શખ્સો પાસેથી છરો અને સિગારેટ લાઇટર ગન મળી આવી હતી.

file-02-page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *