સ્વઃપરષોતમદાસ ભુરાદાસ નિમાવત – ખજુરી તા.કુકાવાવ જિ.અમરેલી ( જંગરવાળા ) ના પુત્ર સ્વ.મનસુખભાઈ પરષોતમદાસ નિમાવત ના પૌત્ર ચિ.ડેવિન તે આરતી બેન પ્રકાશભાઈ નિમાવત હાલમાં મોટી કુંકાવાવ ના સુપુત્ર તા.૩૧-૦૩-૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય. જેથી જ્ન્મ દિવસ ની ખુશાલી ના એક ભાગ રૂપે અન્ય જગ્યાએ નહીં ઉજવતાં પોતાના જ કુળ દેવ શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ જંગર ના સાનિધ્યમાં દર શનિવારે સાંજે પાંચ વાગ્યે શરૂ થતાં હનુમાનજી મહારાજ ને વ્હાલા બાળકો માટે બટુક ભોજન અને પ્રસાદ માટે દાદા ને ચિ.ડેવિન ના અઢાર વર્ષ પૂર્ણ થતાં એક વર્ષ ના રૂ.૧૦૦/- લેખે ગણતરી કરી રૂ.૧૮૦૦/- રોકડા રૂપિયા શ્રી પ્રકાશભાઈ મનસુખભાઈ નિમાવત હાલમાં કુંકાવાવ એ દાદા ના સાનિધ્યમાં એડવાન્સ માં તા.૧૯-૦૩-૨૦૨૨ ને શનિવારના રોજ ધરેલ છે.તે રકમ ચિ.ડેવિન ના જન્મ દિવસ પછી ના શનિવારે તા.૦૨-૦૪-૨૦૨૨ ના રોજ પ્રસાદ ખર્ચ માં ઉપયોગ કરવામાં આવશે..

કુંકાવાવ તાલુકા ના જંગર ગામ ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિરે ચાલતી વિવિધ સેવાકીય પ્રવુતિ.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

