Gujarat

કોસોવોમાં ભારતીય બિઝનેસમેન માટે સુવર્ણ તકો ઃ વિશાલ થલોટિયા

અમદાવાદ
કોસોવોએ ૨૦૦૮માં સર્બિયા થી આઝાદ થયેલ દેશ છે. જેને હાલ યુનાઇટેડ નેશન અને અમેરિકા સહીત વિશ્વના ૧૧૦ થી વધુ દેશો માન્યતા આપી ચુક્યા છે.ત્યારે ઈન્ડો કોસોવો ચેમ્બર ઓફ કોમર્સ ” ના ચેરમેન અનિલ મિશ્રા અમદાવાદ પધારેલ અને જણાવ્યુ હતું કે કોસોવોમાં ભારતીય બિઝનેસમેન માટે સુવર્ણ તકો રહેલી છે અને કોસોવો અત્યારે ઇમ્પોર્ટ કરી રહ્યું છે અને ત્યાં પ્રોડક્શન યુનિટ ના હોવાના કારણે એક્સપોર્ટ નથી કરી શકતું અને ત્યાં પ્રોડક્શન યુનિટ માટે ખૂબ સારી તકો રહેલી છે અને તેજ ઉદેશ ને ધ્યાને રાખીને અમદાવાદનાં ડૉ. વિશાલ થલોટિયાને કોસોવો ચેમ્બર ઓફ કોમર્સ ” ના ઇંડિયન પ્રેસિડેંટ(ચેપ્ટર)તરીકે નિમણુંક કરી છે અને આ નિમણૂક બાદ ડૉ. વિશાલ થલોટિયાએ જણાવ્યુ હતું હવે ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી વ્યાપારી કોસોવોમાં વ્યાપાર કરવા માંગશે તો તેઓ બ્રિજ તરીકે કામ કરશે. અને ગુજરાત એક એવું રાજ્ય છે જેના નાગરિકો વિશ્વના ખૂણે ખૂણામાં ફેલાઈને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ગુજરાત અને ભારતના લોકો માટે આગામી સમયમાં કોસોવો દેશમાં ઉદ્યોગ અને વેપારની નવી તક શોધવા અને ભારતીયો ને ઉદ્યોગ ક્ષેત્રમાં કોસોવો ખાતે નવી તક અપાવવા માટે તેઓ હમેશા તત્પર રહેશે અને વધુમાં જણાવ્યુ હતું કે ભારતીયો ત્યાં વ્યાપાર કરીને સારો નફો મેળવી શકે છે. કોસોવોમાં હ્લસ્ઝ્રય્ પ્રોડક્ટ જે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓનું સાથે સાથે મેડિકલ અને એડ્યુકેશન જેવા ક્ષેત્રે ખૂબ સારી તકો રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *