Gujarat

  ગાંધીધામના વઢિયારી કવિ ડો.કિશોર ઠકકરના પ્રથમ ગઝલસંગ્રહ”જીવી ગયો છું” ની ડીસા ખાતે થઈ અર્પણવિધિ.  

ગિરગઢડા
   ભરત ગંગદેવ..
મૂળ લોલાડા (વઢિયાર) ના વતની અને છેલ્લા પંદર વર્ષથી ગાંધીધામ ખાતે રહેતા કવિ જીવ એવા ડો.કિશોરભાઈ ઠકકર  ઉર્ફે  કિસન વઢિયારીના પ્રથમ ગઝલ
સંગ્રહ “જીવી ગયો છું” નું વિમોચન તાજેતરમાં જ ગાંધીધામ ખાતે થયું હતું.આ પુસ્તક અન્ય વિસ્તારના શબ્દપ્રેમીઓ,સાહિત્યકારો,લેખકો,ગઝલકારો સુધી પહોંચે તેવા શુભ આશયથી આ પુસ્તકની અર્પણવિધિ તાજેતરમાં ડીસા ખાતે પણ કરાઈ હતી અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ  બનાસકાંઠા જિલ્લાના સંરક્ષક કનુભાઈ આચાર્ય તેમજ અધ્યક્ષ ભગવાનભાઈ બંધુને આ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતુ .
   આ અવસરે જલારામ સત્સંગ મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપ સાથે સંકળાયેલ સક્રિય અગ્રણીઓ સર્વ આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,તારાચંદભાઈ ડી.મજેઠીયા,સુરેશભાઈ એન.ઠકકર (વકીલ),શશીકાંતભાઈ ડી.ઠકકર, કમલેશભાઈ રાચ્છ,સુરેશભાઈ ટી.અખાણી સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
   પુસ્તક ભેટ મોકલવા બદલ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ ભગવાનભાઈ બંધુએ કવિ ડો.કિશોરભાઈ ઠકકર તેમજ જાણીતા પત્રકાર આનંદભાઈ પી.ઠક્કરનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

IMG-20220327-WA0333.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *