Gujarat

જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા ખાતે જામી ભજનોની રમઝટ ….

ગિરગઢડા
ભરત ગંગદેવ.
છેલ્લા 188 ગુરૂવારથી ખૂબ જ પૂન્યશાળી અને ભાગ્યશાળી ડીસા નગરમાં જલારામ સત્સંગ મંડળ દ્રારા નિયમિત ભજનો થઈ રહેલ છે ત્યારે તારીખ 3-3-2022 ને 189 મા ગુરૂવારે ડીસાના 80 જેટલા જલારામ ભકતોએ ધાનેરા જઈ જલારામ મંદિરે દર્શન તેમજ ભોજન પ્રસાદ કરી પ્રવિણભાઈ મોરૂમલ કારિયાના નિવાસસ્થાને ભજનોની રમઝટ બોલાવી હતી.
જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,તારાચંદભાઈ મજેઠીયા,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,સંજયભાઈ બારોટ નટુભાઈ લીંબાચીયા,સતીષભાઈ પટેલ,દિનેશભાઈ ચોક્સી,કમલેશભાઈ રાચ્છ,દેવચંદભાઈ એન.ઠકકર સહિત 80 જેટલા ડીસાના જલારામ ભકતોએ ધાનેરા ખાતે હાજરી આપી ભજનોનો નિજાનંદ માણ્યો હતો.ડીસા જલારામ મંદિરેથી રવાના થયેલ સૌ ભકતોને યશવંતશાસ્ત્રીજી મહારાજ, જયંતિભાઈ ઓઢાવાળા,શારદાબેન આચાર્ય, જયેશભાઈ દેસાઈ સહિત સૌ જલારામ ભકતોએ અભિનંદન, આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી,કંકુ તિલક કરી ઢોલ-શરણાઈના નાદ સાથે વાજતેગાજતે વિદાય આપી હતી.f

IMG-20220305-WA0164.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *