ગિરગઢડા
ભરત ગંગદેવ
તાજેતર માં યોજાઈ રહેલ છે જામનગર ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ના છેલ્લા પચાસ વર્ષ ના દેસ વિદેશ માં વસતા આયુર્વેદ વૈદ્ય ની એલ્યુમની મીટ આ માટે હાલ અમરનગર ના અને જામનગર ના ભૂતપૂર્વ ઉત્સાહી વૈદ્ય યોગેશભાઈ વસાણી ને વિચાર આવ્યો કે ઘણા વર્ષો થી જૂના મિત્રો મળેલ નથી તો આપણી માતૃ સંસ્થા મા મળીયે સૌ પ્રથમ સંસ્થા ના હાલ ના અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર શ્રી ની મંજુરી લઈ જૂના મિત્રો ડૉ ભગવાનજીભાઈ ફળદુ, ડૉ મુસ્તાક કાદરી સાહેબ, ડૉ અર્પણ ભટ્ટ સાહેબ, ડૉ ઉત્પલ જીવરાજાની, ડૉ દીપક ધીનોજા, ડૉ રાજ પટેલ અને હાલ ના અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી વગેરે ને વિચાર રજૂ કર્યો બધા અે આ વાત ને આવકારી અને બિરદાવેલ બાદ મા મિત્રો નુ ગ્રુપ બનાવી વિચાર રજૂ કરતાં એંસી વર્ષ નાં થી માંડી સૌથી જુવાન મિત્રો અે આવકારી ગ્રુપ મા જ એલ્યુમની મીટ કરતા હોય એવો આવકાર આપી અત્યાર થી ભૂતકાળ ને યાદગાર સ્મરણ વાગોળવા લાગ્યા છે એક હજાર થી ઉપર ની સંખ્યા થવા જઈ રહેલ છે ખુબ જ મોટી સંખ્યા માં ભૂતપૂર્વ મિત્રો નો શંભુ મેળો ભેગો થઈ રહેલ છે બધા આ સુંદર આયોજન ના વિચાર માટે ડૉ યોગેશ વસાણી ને અભિનંદન આપી રહેલ છે


