Gujarat

જૂનાગઢ જિલ્લામાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્વવ દેખાય તો આટલું કરો – જિલ્લા ખેતીવાડી અધિકારી

ચાલુ ખરીફ સીઝનમાં જિલ્લાના મોટા ભાગનાં વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. મગફળીના પાકમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળે છે. સ્થાનિક ભાષામાં ધૈણને મુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધૈણની ઇયળો પહેલા તંતુમુળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુક્શાન કરે છે. તેનું નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. જો ધૈણ નો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલીત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર વરસાદ બાદ પુખ્ત ઢાલીયા ધૈણ રામ બાવળ, બોરડી, સરગવો કે લીમડાના પાન ખાય છે. તેથી ઝાડના ડાળા હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ કરવો. શેઢે-પાળેના ઝાડ પર કાર્બારીલ (૫૦ વેટેબલ પાવડર) ૪૦ ગ્રામ અથવા ક્વીનાલફોસ (૨૫ ઇસી) ૨૫ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રકાશ પીંજર ગોઠવી, ઢાલીયા એકઠા કરી તેનો નાશ કરવો. તે માટે ખેડૂતો એ ખેતરમાં લેમ્પ ગોઠવી નીચે દવાવાળું તથા કેરોશીન વાળું પાણી રાખવાથી રાત્રે પુખ્ત ઢાલીયા પ્રકાશ સામે આકર્ષાયને નીચે રહેલ પાણીમાં પડીને નાશ પામે છે. ઊભા પાકમાં ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (૨૦ ઇસી) અથવા ક્વીનાલફોસ (૨૫ ઇસી) ૨૫ મીલી દવા હેકટરે ૪ લીટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવાથી ધૈણનો ઉપદ્વવ ઓછો થાય છે તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *