જામનગર તા.૧૧ ફેબ્રુઆરી, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર દ્રારા તા.૧૦/૦૨/૨૦૨૨ના રોજ સમાજ સુરક્ષા પ્રભાગ સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,જામનગર, આહિર કન્યા છાત્રાલય અને ભરવાડ કન્યા છાત્રાલય સંસ્થાની મુલાકાત કરવામાં આવી હતી.
