લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર.મકસુદ કારીગર
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સરપંચ એશોશીયન પ્રમુખ ,ઉ.પમુખ,સહિત સરપંચો તલાટી કમ મંત્રી ની હડતાલ પર ઉતર્યા ના પંદર દિવસ ઊપરાંત થવા છતાં સરકાર દ્વારા સંતોષ સમાઘાન ન થયેલ હોય એટલે આ તલાટી ઓ ની હડતાલ લાંબી ચાલશે. જેને કારણે ગ્રામ પંચાયત ના કામો જેવા કે પેઢીનામુ,મરણ ના દાખલા તથા વિકાસ ના કામો પર અસર પડી રહી છે.
જે અંગે મહુધા સરપંચ એશોશીયન પ્રમુખ ભરતભાઈ સોલંકી,ઉ.પમુખ સહિત તમામ સરપંચ હાજર રહી જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત નો તમામ વહીવટ તલાટી ઓની હડતાલ ને કારણે ઠપ થઈ ગયેલ છે.પંચાયત માં વબજાવતા કર્મચારી જેવા કે પટાવાળા,કલાર્ક,વાયરમેન,ઑપરેટર જેવા નાના કર્મચારી ઓના પગાર સમયસર ન થતાં આર્થિક ભીસ સહન કરતાં હોવાનું મનાય છે.
આમ સરકાર વહેલી તકે દ્વારા માગણી સંતોષવા માં આવે જેથી હડતાળ સમેટાઈ તો આમ જનતા તથા વિકાસ ના કામો ને અસર થતાં અટકે અને ફરજ પર વહેલી તકે હાજર થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.


