વાઘણિયા પ્રાથમિક શાળામાં ૨૩ મી માર્ચ શહીદ દિન નિમિત્તે સૌ પ્રથમ પ્રાર્થના સભામા શાળાના આચાર્ય મનસુખલાલ મેવાડા દ્વારા શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જેવા અનેક નરબંકા શહીદોને યાદ કરી આઝાદીમાં તેમની ભૂમિકા અને શહાદત વિશે વિધાર્થીઓને વિશેષ માહિતીગાર કરવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ વિધાર્થીઓ દ્વારા શોર્ય ગીતો પ્રસંગ લેખો અને શહીદોના જીવન ચરીત્રોનુ વાંચન કરવામાં આવ્યું હતું .આ તકે શાળાના વિપુલભાઈ કોટડીયા મનિષાબેન ચત્રોલા પૂર્વીબેન ધામત મંજુલાબેન અને ભરતભાઈ વગેરે દ્વારા પ્રાસંગિક વકતવ્યો રજૂ કર્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


