સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે. પ. પૂ. સંત શ્રી વેલનાથબાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે ભુવા સરકારી પ્રાથમિક શાળા વિધાર્થીઓને જયસુખભાઇ વરાણીયા તથા રમેશભાઈ સીસણાદા તરફથી બટૂકભોજન કરવામાં આવ્યું હતું.. આમ ભજન અને ભોજનનો મહિમાનો સંદેશ પણ આ પુણ્યકાર્ય દ્વારા સમાજમાં વધુ વ્યાપકતાથી ફેલાઈ એવી ભાવના બાળકોમા પણ પ્રબળ બને એવું રૂડું સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં પણ સંસ્કાર, સદભાવના અને બાળકોમાં ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે પણ રુચિ વધે એવી સદપ્રવૃતિભર્યા સેવાકાર્યો પણ આ નાનકડાં ખોબા જેવડા ગામ ભુવામાં થતાં જોવા મળે છે


