ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર સાહેબ તેમજ ડેપો મેનેજર બીડી રબારી સાહેબ હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર ના સાથ સહકાર થી વેરાવળ દ્વારકા ધીશ હવેલી હવેલી સોમનાથ ટ્રસ્ટ અને મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતી ના માધ્યમથી નાથદ્વારા ની એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી જેમાં ગુજરાત એસ.ટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય સમર્થન આપી સોમનાથ નાથદ્વારા રૂટ ની એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે જે સવારે ૧૦.૫૫ કલાકે સોમનાથ ઉપડશે અને વહેલી સવારે મંગળા આરતી ના સમયે પહોચશે ત્યારે સોમનાથ થી આજે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ના અદયક્ષ સ્થાને પુજારી શ્રી ના મંત્રો ચાર સાથે વિધિવત પ્રસ્થાન કરેલ જેમાં એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિહ જાડેજા સહીત વેરાવળ દ્વારકા ધીશ હવેલી હવેથી ના ટ્રસ્ટી લોક જાગૃતિ મંચ ના દીપકભાઈ તિલાવત લોહાણા સમાજ ના સામાજિક કાર્યકર અનિશ રાછ અને રાજશ્રી મિના પંજાબી મુંબઈ પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર બસ ના ડ્રાઈવર રાજેશ નિમાવત અને પિ આર ડાકિ તેમજ કંડક્ટર પ્રવીણ એ વાળા ની ઉપસ્થિતિ માં પ્રારંભ કર્યો હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


