ઊના – ઊનાના ગરાળ ગામતે સંતોની ભૂમી છે અને અહીં સંત અમરગીરી બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન ગામમાં સદાય રહ્યાં છે અહીં તેમના આશ્રમે બાપુના આશીર્વાદ મેળવવા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે ઉના તાલુકામાં ૧૦ વિદ્યાર્થીઓ સેકન્દ્રી સ્કોલરશીપ પરીક્ષામાં ઉતિરણ થયેલ જેમાંથી ગરાળ ગામની પ્રાથમિક શાળામાં તેમાં ચાલુ વર્ષ લેવાયેલ ધોરણ ૯ ના વિદ્યાર્થીઓની સકેન્ડરી કોલરશીપ પરીક્ષા ૨૦૨૨ માં સમગ્ર જિલ્લામાં ઉના તાલુકાના ૧૦ બાળકો મેરીટમાં આવેલ છે. જેમાં ગરાળ ગામે પાંચ બાળકોનો સમાવેશ થયો છે તેમાં પ્રાથમિક શાળા માંથી કિરણબેન રુખડભાઈ રાઠોડ ઉના તાલુકામાં બીજા નંબરે સ્મિત રાજવેલભાઈ પાંડવ, અને ભુતડાદાદા પ્રાથમિક શાળા માંથી ૩ બાળકો બીજલભાઇ લાખાભાઈ સોલંકી, ગંગાબેન ભાયાભાઈ મેવાડા, હરપાલ દીપકભાઈ બાંભણિયા તેમ કુલ મળીને ગરાળ ગામની પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળા માંથી પાંચ બાળકો સમાવેશ થતાં સમગ્ર ગરાળ ગામમાં અને ઉના તાલુકામાં ખુશીનો માહોલ છવાયો હતો…
