Gujarat

કોરોના બાદ ૨ વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાશે

રાજકોટ
રાજકોટ કલેક્ટર લોકમેળા સમિતિના વડા છે. રેસકોર્સ મેદાનમાં ૧૭ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે. સંકલન સમિતિ, અમલ સમિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેક્ટર કે. બી. ઠક્કરે તમામ સમિતિઓના વડાઓને મેળા માટે કામ શરૂ કરવા સૂચના આપી હતી. પોલીસ અધિકારીઓને મેળામાં કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરની કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફ્ટી, આરોગ્ય સુવિધાઓ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણીનું ધ્યાન રાખવા જણાવાયું હતું. આ મેળો સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ રાહ જાેવાતી ઘટના છે અને જેઓ સૌરાષ્ટ્રના વતની છે, પરંતુ અન્યત્ર સ્થાયી થયા છે, તેઓ પણ આ કાર્યક્રમમાં જાેડાય છે. એક અંદાજ મુજબ, આ મેળા દરમિયાન લગભગ ૧૦ લાખ લોકો રાજકોટ આવે છે. ૧૫૦ થી વધુ સ્ટોર્સ, રાઇડ્‌સ અને અન્ય પ્રવૃત્તિઓ મૂકવામાં આવી છે અને મેળો પાંચેય દિવસ ૨૪ કલાક ચાલે છે.સૌરાષ્ટ્રના લોકોને બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માણવાની તક મળશે. કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને ૨૦૨૦ અને ૨૦૨૧ માં મેળો રદ્દ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આ વર્ષે મેળાના આયોજન અંગે સકારાત્મક છે અને તેની તૈયારી માટે બુધવારના રોજ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

India-Gujarat-Rajkot-Janmashtami-fair-will-be-held-after-2-years-saurashtra-people-will-be-happy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *