ઊના ગીરગઢડા તાલુકા કોળી સેનાના કાર્યકરોએ નાઘેરને લીલી નાઘેર બનાવવાની નેમ સાથે ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ શ્રીમતિ દિપાબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને અષાઢી બિજની વૃક્ષારોપણ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા ઉપપ્રમુખ મનોજભાઇ બાંભણીયા, ગીરગઢડા તાલુકા કોળી સેના પ્રમુખ રાહુલભાઇ પરમાર, ઉના તાલુકા કોળી સેના પ્રમુખ ભાવેશભાઇ સોલંકી, વિજયભાઇ બાંભણીયા સહીતના આગેવાનો કાર્યકરોએ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવાના સંકલ્પ સાથે સહકારી હોસ્પીટલ ઉના ગીરગઢડાના જાહેર સ્થળો પર વૃક્ષારોપણ કરેલ હતું..


